ભારતમાં કોરોના હવે એન્ડેમિક બનવાની તૈયારીમાં છે તેવું એક્સપર્ટ ડૉક્ટરો દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે કે બીજી લહેરમાં જે રીતે સંક્રમણ ફેલાયુ હતું તેવી પરિસ્થિતી ત્રીજી લહેરમાં નહી સર્જાય
કોરોનાને લઈને એક્સપર્ટ ડૉક્ટરોએ કર્યો દાવો
ત્રીજી લહેરમાં સંક્રમણ બીજી લહેર જેટલુ નહી ફેલાય
એન્ડેમિક સ્થિતીમાં સંક્રમણ પહેલા કરતા કાબૂમાં રહેશે
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના ભયને લઈને એક્સપર્ટ ડૉક્ટર ગગનદીપ કાંગ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તબીબોનું કહેવું છે કે ભારતમાં કોરોના સંક્રમણ 'એંડેમિસિટી' દિશામાં આગળ વધી રહ્યું છે. એટલે સંક્રમણ અમુક જગ્યાએ ફેલાશે પરંતુ બીજી લહેરમાં જે પરિસ્થિતી સર્જાઈ હતી તેવી ત્રીજી લહેર વખતે નહી સર્જાય.
એન્ડેમિકમાં વાયરસનું સર્ક્યુલેશન કાબૂમાં રહેશે
આપને જણાવી દઈએ કે પેન્ડેમિક અને એન્ડેમિકમાં અંતર હોય છે. પેન્ડેમિક સ્ટેજમાં વાયરલ લોકો પર ભારે પડતો હોય છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો વાયરસની ઝપેટમાં આવી જાય છે. પરંતુ એંડેમિક સ્ટેજમાં લોકો વાયરસ સાથે જીવવાની આદત પાડે છે. બીજુ કે ત્યારે વાયરસનું સર્ક્યુલેશન પણ કાબૂમાં રહેતું હોય છે. પરંતુ બિમારી ખતમ નથી થતી.
સંક્રમણ હવે પહેલા જેવું નહી ફેલાય
ડૉક્ટરોનું કહેવું છે કે ભારતમાં કોરોનાની બીજી લહેર વખતે મોટા પ્રમાણમાં લોકો સંક્રમિત થયા હતા. જેથી ફરી ત્રીજી લહેરમાં પણ તેવીજ સ્થિતી નહી સર્જાય . સાથેજ ડૉક્ટરોએ કહ્યું કે સંક્રમણ ફેલાશે ખરી પરંતુ તે સંક્રમણ પહેલા જેવું નહી હોય. ઉપરાંત ડૉક્ટરોએ એવું પણ કહ્યું કે તહેવારોમાં પરિસ્થિતી ગંભીર થતી હોય છે. જેના કારણે સંક્રમણ ફેલાય છે. પરંતુ હવે સંક્રમણ પહેલા જેટલું નહી ફેલાય.
વેક્સિનેશનને કારણે સંક્રમણ કાબૂમાં
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે એક્સપર્ટ ડૉક્ટરોએ એવું પણ કહ્યું છે કે હાલ જે રીતે વેક્સિનેશન પર ભાર આપવામાં આવ્યો છે. તેના કારણે સંક્રમણ ઘણું કાબૂમાં આવી ગયું છે. જેથી આગળ પર આ મહામારી નાબૂન ન થાય ત્યા સુધી વેકેસિનેશન પર ભાર તો આપવોજ પડશે. જેથી સંક્રમણને શક્ય બને તેટલું રોકી શકાશે.