કોરોનાએ ફેફસા પર વધુ અસર કરી હોય તો જો જો ફટાકડાનો ધુમાડો શ્વાસ લેવામાં પ્રોબ્લેમ ન કરે
દિવાળીમાં કોરોનાના દર્દીઓ સાચવજો
ફટકાડાના ધૂમાડાથી રહેજો દૂર
ફટાકડાનો ધૂમાડો છે નુકસાનકારક
કોરોનાથી સાજા થયેલા લોકોને ફટાકડાના પ્રદૂષણથી નુકસાન થઇ શકે છે. ત્યારે કોરોનાથી સાજા થયેલા લોકોને ફટાકડાના પ્રદૂષણથી દૂર રહેવા તબીબોએ સલાહ આપી છે. તબીબોએ કહ્યું કે ફટાકડા પ્રદૂષણથી શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. કોરોનામાં ગંભીર હાલત થઈ હોય તેઓ ધુમાડાથી દૂર રહે. કોરોનાથી સાજા થયા હોય તેઓએ સ્વસ્થ જગ્યાએ રહેવું જોઇએ. કારણ કે ધુમાડાને કારણે એલર્જી અને શ્વાસમા તકલીફ થઇ શકે છે. તબીબોએ કહ્યું કે ફટાકડાના ધુમાડાને કારણે ફેંફસાને વધુ નુકસાન થઇ શકે છે. ફટાકડા ફોડવાથી કાર્બન મોનોક્સાઈડ મોટા પ્રમાણમાં હવામાં ફેલાય છે. ત્યારે કાર્બન મોનોક્સાઇડથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી કોરોનાના દર્દીઓને ગુંગળામણ થઇ શકે છે.
ગ્રીન ફટાકડાનો ઉપયોગ અન્ય ફટાકડા કરતાં હિતાવહ
ગ્રીન ફટાકડાં સામાન્ય ફટાકડાંથી અલગ હોય છે.ગ્રીન ફટાકડાંને ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે.ગ્રીન ફટાકડા જોવામાં અને અવાજને લઈને સામાન્ય ફટાકડાં જેવા જ હોય છે.પરંતુ ગ્રીન ફટાકડાંથી પ્રદૂષણ ઓછું થાય છે.આજ ગ્રીન ફટાકડાંની સૌથી મોટી વાત છે.ગ્રીન ફટાકડાંમાંથી 30થી 40 ટકા જ હાનિકારક ગેસ પેદા થાય છે.ગ્રીન ફટાકડાં ત્રણ પ્રકારના હોય છે.
1) સેફ વોટર રિલીઝર ફટાકડા, 2) સેફ થર્માઈટ ક્રેકર ફટાકડા 3)સેફ મિનિમલ એલ્યુમિનિયમ ફટાકડા
ગ્રીન ફટાકડાથી પણ થાય છે નુકસાન
કેટલાંક ગ્રીન ફટાકડાંમા પણ એલ્યુમિનિયમ.બેરિયમ. પોટેશિયમ નાઈટ્રેટ.અને કાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આની માત્રા ખૂબ જ ઓછી હોય છે.તો કેટલાંક ગ્રીન ફટાકડાંમાં આવા ઝેરીલા તત્વોનો સહેજ પણ ઉપયોગ થતો નથી. ગ્રીન ફટાકડાંમાં વાયુ પ્રદૂષણ વધારતાં નુકશાનકર્તા કેમિકલ નથી હોતાં. આથી જ આ ફટાકડાંથી પ્રદૂષણ ઓછું ફેલાય છે.CSIR દ્વારા વિકસિત ગ્રીન ફટાકડાં.સામાન્ય ફટાકડાં કરતાં 30 ટકા ઓછું પ્રદૂષણ કરે છે. આ બધાં વચ્ચે જો કોઈને એવું લાગે કે ગ્રીન ફટાકડાંથી પર્યાવરણને બિલકુલ પણ નુકસાન નથી થતું.તો આ માન્યતા બિલકુલ ભૂલ ભરેલી છે.
ફટાકડાના પ્રદૂષણને લઇ તબીબોની ચેતવણી
કોરોનાથી સાજા થયેલા લોકોને ફટાકડાના પ્રદૂષણથી નુકસાન થઇ શકે છે
કોરોનાથી સાજા થયેલા લોકોને ફટાકડાના પ્રદૂષણથી દૂર રહેવા તબીબોની સલાહ
ફટાકડા પ્રદૂષણથી શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે
કોરોનામાં ગંભીર હાલત થઈ હોય તેઓ ધુમાડાથી દૂર રહે
કોરોનાથી સાજા થયા હોય તેઓએ સ્વસ્થ જગ્યાએ રહેવું જોઇએ
ધુમાડાને કારણે એલર્જી અને શ્વાસમા તકલીફ થઇ શકે છે
કોઈપણ પ્રકારના ધુમાડાને કારણે શ્વાસ નડી સંકોચાય છે
ફટાકડાના ધુમાડાને કારણે ફેંફસાને વધુ નુકસાન થઇ શકે છે
ફટાકડા ફોડવાથી કાર્બન મોનોક્સાઈડ મોટા પ્રમાણમાં હવામાં ફેલાય છે
કાર્બન મોનોક્સાઇડથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે
કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી કોરોનાના દર્દીઓને ગુંગળામણ થઇ શકે છે
પર્યાવરણ વિદ્ માને છે કે ગ્રીન ફટાકડાં પ્રદૂષણ રોકવાનું કોઈ સ્થાઈ સમાધાન નથી.પર્યાવરણ વિદ એ પણ કહે છે કે બજારમાં સપ્લાય વધવાથી ગ્રીન ફટાકડાથી પણ પ્રદૂષણ વધશે જ.કારણ કે ગ્રીન ફટાકડાં સામાન્ય ફટાકડાં કરતાં માત્ર 30થી 40 ટકા જ ઓછું પ્રદૂષણ કરે છે.પરંતુ હકીકત તો એ છે કે ગ્રીન ફટાકડાં પણ પ્રદૂષણ તો કરે જ છે.પરંતુ થોડું ઓછું કરે છે. પણ કોરોનાની ફેફસા પર વધુ અસર થઈ હોય તેવા લોકોએ ફટાકડાના ધુમાડાથી અંતર રાખવું જોઈએ તેવુ ડોકટરોનું માનવું છે.