મેરિલેન્ડ યુનિવર્સિટી ઓફ મેડિસનના ડોક્ટર ફહીમ યુનુસના મત અનુસાર, કોરોનાના મોટાભાગના દર્દીઓ 14 દિવસની અંદર સાજા થઈ જાય છે.
મેરિલેન્ડ યુનિવર્સિટીના ડોક્ટર ફહીમ યુનુસે કરી જાહેરાત
કોરોનાના દર્દીઓ 14 દિવસની અંદર સાજા થઈ જાય છે
10 ટકા દર્દીઓની હાલત બીજા અઠવાડિયામાં ખરાબ થાય છે
ડબલ માસ્ક પહેરવાથી કોરોનાથી બચી શકાય છે.
ડોક્ટર ફહીમ યુનુસે કહ્યું કે ફક્ત 10 ટકા દર્દીઓની હાલત બીજા અઠવાડિયામા બગડવાનું શરુ થાય છે. જો પહેલા બે અઠવાડિયામાં તમારી હાલત ખરાબ ન થઈ તો તમે ઠીક થઈ જશો. 80 ટકા લોકો આ કેટેગરીમાં આવે છે.
When Will a COVID Patient Improve or Worsen?
Most patients improve within 14 days. But ~10% worsen in the 2nd wk
If you’re not getting worse in the first 2-weeks, you’re getting better. >80% are in this category
વાઈરસની ચિંતા ન કરો
ડોક્ટર યુનુસે જણાવ્યું કે કુદરતી રીતે જોઈએ તો બીમારી ઝડપથી આવે છે અને ધીમેધીમે તબિયતમાં સુધારો આવે છે. લોકોને મોટી રાહત આપતા ડોક્ટરે જણાવ્યું કે લોકોએ કોરોનાની બહુ ચિંતા ન કરવી જોઈએ. લોકોએ અંગત વ્યવહાર પર ધ્યાન આપવું જોઈએ. લોકોએ ડબલ માસ્ક પહેરવું જોઈએ અને વેક્સિન લેવી જોઈએ. તેમણે કહ્યું કે તમે જેની પર કાબૂ કરી શકો તેની પર ધ્યાન આપો અને સતર્ક રહો. ડો.ફહીમે સ્પસ્ટ જણાવ્યું કે હવામાથી વાઈરસ ફેલાવાનો અર્થ એવો નથી કે હવા સંક્રમિત છે. તેનો મતલબ છે કે વાયરસમાં હવામાં રહી શકે છે. બિલ્ડિંગની અંદર પણ ખતરો પેદા કરી શકે છે.
સોશિયલ ડિસ્ટન્સિંગ જરુરી
ડો.ફહીમનું કહેવું છે કે કાપડનું માસ્ક પહેરવાનું બંધ કરો. બે N95 અથવા KN95 માસ્ક ખરીદો. એક માસ્કનો દિવસમાં ઉપયોગ કરો.ઉપયોગ કર્યા બાદ તેને બેગમાં રાખો અને બીજા માસ્કનો ઉપયોગ કરો. દર 24 કલાકે માસ્કની અદલાબદલી કરતો રહો. જો માસ્ક ખરાબ ન થાય તો તેને અઠવાડિયા સુધી પહેરી શકાય છે તથા સોશિયલ ડિન્સ્ટન્સિંગનું પાલન કરવું પણ જરુરી છે.
ડબલ માસ્ક પહેરવાથી કોરોના સામે 95 ટકા સુરક્ષા મળે છે.
ડબલ માસ્ક પહેરવું જરુરી
તેમણે કહ્યું કે આપણી આરોગ્ય સિસ્ટમ ખસ્તાહાલ થઈ હોવાથી સાવધાની જ ઉપાય છે તેથી ડબલ માસ્ક પહેરવું જરુરી છે. તેમણે કહ્યું કે એકલુ સર્જિકલ માસ્ક પુરતું નથી. કાપડના માસ્કથી ફક્ત 40 ટકા સુરક્ષા મળે છે જ્યારે ડબલ માસ્ક પહેરવાથી 95 ટકા જેટલી સુરક્ષા મળે છે. તેથી પહેલા સર્જિકલ માસ્ક પહેરો અને ત્યાર બાદ કાપડનુ મ માસ્ક પહેરો.
કોરોના એરબોર્નથી ફેલાતો હોવાથી ડબલ માસ્કિંગ જરુરી
ડોક્ટર અશોક શેઠે જણાવ્યું કે દરરોજ તમારા માસ્ક ધુઓ કારણ કે હવે કોરોના ટીપાંથી નહી પરંતુ એરબોર્નથી ફેલાતો હોવાથી ડબલ માસ્કિંગ પહેલા કરતા પણ વધારે જરુરી છે. તેમણે લોકોએ ડબલ માસ્ક પહેરવાની પણ સલાહ આપી છે. કોરોનાથી બચવાનો આ એક અસરકારક ઉપાય છે.