લોકડાઉન બાદ અનલોકમાં પેટ્રોલ બાદ હવે શાકના ભાવમાં કમરતોડ વધારો થયો છે. સતત વધી રહેલા ભાવના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. કોરોનાની અસર શાકભાજીના ભાવ પર થતી જોવા મળી રહી છે. શાકના વધતા ભાવ અને પેટ્રોલના ભાવે સામાન્ય માણસની કમર તોડી છે. દેશના અનેક ભાગમાં જે શાક 20-30 રૂપિયે પ્રતિ કિલો હતા તે 100 રૂપિયે કિલોએ પહોંચ્યા છે.
વધ્યા શાકના ભાવ
અનલોકમાં પેટ્રોલ બાદ શાકના ભાવમાં થયો ભડકો
બગડી રહ્યું છે ગૃહિણીઓનું બજેટ
બ્રોકોલીના ભાવ 400 રૂપિયે કિલો, ટામેટા 60-80 રૂપિયે કિલો, બટાકા 40 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. કોથમીરના ભાવ 200 રૂપિયે કિલો અને લસણ 150 રૂપિયે કિલો સુધી પહોંચ્યું છે. લીલા મરચાના ભાવ 100થી 150 રૂપિયે કિલો થઈ ચૂક્યા છે. ભીંડાના ભાવ 60 થી 70 રૂપિયે કિલો, રીંગણ, અને ડુંગળીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે.
શાકના ભાવ પહોંચ્યા આસમાને
ઉલ્લેખનીય છે કે નાના અને મધ્યમ વર્ગના પરિવાર પોતાની આવકના આધારે હવે રસોઈનું બજેટ નક્કી કરી રહ્યા છે. લોકડાઉન ખૂલ્યા બાદ શાકના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ અઠવાડિયે શાકના ભાવ વધી રહ્યા છે. તેનાથી લોકોના ઘરનું બજેટ બગડી રહ્યું છે. માર્ચથી જુલાઈની શરૂઆત સુધી સતત ભાવ સામાન્ય હતા અને હવે તેમાં વધારો થઈ રહ્યો છે.
કિંમતોએ બગાડ્યું આ રીતે બજેટ
એક ગૃહિણીએ કહ્યું છે કે હું 5 વ્યક્તિઓનું શાક ખરીદું છું. લોકડાઉન પહેલા કે લોકડાઉન બાદ દર મહિને 1500થી 2000 રૂપિયાની વચ્ચે શાક ખરીદવાથી કામ ચાલી જતું હતું. હવે 3000 રૂપિયા સુધીનું બજેટ પહોંચ્યું છે. શાક કોઈ પણ લો તો પણ 60 રૂપિયે કિલોથી ઓછું મળી રહ્યું નથી. ડુંગળી બટાકા પણ 40 રૂપિયે કિલોને પાર થયા છે. રીંગણ, મૂળા, પરવર, તરોઈ તો ઘણા મોંઘા બન્યા છે.
ખેડૂતોની વાત કરીએ તો અનલોકમાં છૂટ મળી છે. શાક મંડીમાં આવવાનું શરૂ થયું છે. સાપ્તાહિક બજાર ખૂલવાથી શાક ખરીદનારાને ફાયદો થશે. શાકના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. તેમનું કહેવું છે કે રેટ ફિક્સ ન કરો તો પણ એક નોર્મલ રેટ નક્કી કરવાથી ફાયદો થઈ શકે છે. સપ્ટેમ્બરથી ભાવ સામાન્ય થાય તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.