કેન્દ્ર સરકારે 2018ની નેશનલ બાયોફ્યુઅલ પોલિસીમાં સુધારાને મંજૂરી આપી હોવાથી હવે પેટ્રોલમાં 10 ટકાને બદલે 20 ટકા ઈથેનોલ ભેળવી શકાશે.
મોદી સરકારે નેશનલ બાયોફ્યુઅલ પોલિસીમાં સુધારાને આપી મંજૂરી
પેટ્રોલમાં 10 ટકાને બદલે 20 ટકા ઈથેનોલ ભેળવવામાં છૂટ
આને કારણે દેશમાં સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ
કેન્દ્રીય કેબિનેટે પેટ્રોલમાં 2025-26 સુધીમાં 20 ટકા ઈથેનોલમાં ભેળસેળના લક્ષ્યને પૂર્ણ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે, જે પૂર્વ નિર્ધારિત સમયસીમાથી પાંચ વર્ષ પહેલા છે. તેના પર લક્ષ્યાંક 2030 નક્કી કરવામાં આવ્યો હતો. હાલમાં પેટ્રોલમાં લગભગ 10 ટકા ઇથેનોલ ઉમેરવામાં આવે છે.
મોદી સરકારે રાષ્ટ્રીય બાયોફ્યુલ પોલિસીમાં સુધારાની મંજૂરી આપી
મોદી સરકારે રાષ્ટ્રીય બાયોફ્યુલ પોલિસીમાં સુધારાની મંજૂરી આપી દીધી છે. સરકારની મંજૂરી મળતા હવે રાષ્ટ્રીય બાયોફ્યુલ પોલિસીમાં હવે સુધારા-વધારા થશે આ પોલિસી હેઠળ હવે ઈથેનોલનું ઉત્પાદન વધશે, પેટ્રોલ અને ડીઝલમાં 20 ઈથેનોલ ભેળવવાનું લક્ષ્ય હવે 2030ને બદલે 2025-26માં કરવામાં આવશે.
પેટ્રોલમાં 10 ટકાને બદલે ભેળવવામાં આવશે 20 ટકા ઈથેનોલ, ભાવ સસ્ત થશે
પેટ્રોલ અને ડીઝલમાં ઈથેનોલનું મિશ્રણ કરવામાં આવ્યાં બાદ તેના ભાવ ઘટી જશે. અત્યાર સુધી પેટ્રોલમાં ફક્ત 10 ટકા ઈથેનોલ ભેળવવામાં છૂટ હતી પરંતુ હવે સરકારે તેને 20 ટકા સુધીની મંજૂરી આપી છે.
ઈથેનોલમાં ઘણા પાકને ભેળવવાની મંજૂરી
ઈથેનોલનું ઉત્પાદન વધારવા માટે ઘણા પાકનો ઉપયોગ કરવાની પણ સરકારે મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણય બાદ દેશમાં ઈથેનોલના ઉત્પાદનમાં વધારો આવશે.
જાહેર ક્ષેત્રના સાહસોને આપી વધારાની સત્તા
કેન્દ્રીય કેબિનેટે બુધવારે જાહેર ક્ષેત્રના સાહસો (સીપીએસઇ) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને એકમો અને તેમના સહાયક એકમોના બંધ, ડિસઇન્વેસ્ટમેન્ટ અંગે નિર્ણય લેવાની સત્તા આપી છે. જાહેર ક્ષેત્રના ઉપક્રમ અથવા હોલ્ડિંગ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને હાલમાં કેટલીક સત્તાઓ પ્રાપ્ત છે, જે હેઠળ તેઓ નાણાકીય સંયુક્ત સાહસ અથવા સંપૂર્ણ માલિકીની પેટાકંપની એન્ટિટી સ્થાપવા માટે ઇક્વિટી રોકાણ કરી શકે છે, જો કે ચોખ્ખી અસ્કયામતો પર કેટલીક મર્યાદાઓ છે. પરંતુ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે પેટાકંપનીઓ અથવા એકમો અથવા સંયુક્ત સાહસોમાં હિસ્સો સમાપ્ત કરવાની અથવા તેનું રોકાણ કરવાની સત્તા નથી, જોકે કેટલીક મહારત્ન કંપનીઓ પાસે એટલી મર્યાદિત સત્તા છે કે તેઓ પેટાકંપનીઓમાં કેટલાક હિસ્સાનું વિનિવેશ કરી શકે છે.