હાલમાં અમુક વર્ષોના રેકોર્ડ જણાવે છે કે, કેટલાય પ્રોજેક્ટમાં ઘટાડો થયો છે. સરકારે આંકડામાં પણ સ્વિકાર્યું છે કે, અમુક પ્રોજેક્ટમાં સરકારી ખર્ચમાં તોતિંગ ઘટાડો થયો છે.
દેશમાં ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને રિસર્ચ પ્રોજેક્ટને આગળ વધારવા માટે સરકારી અને ખાનગી સંસ્થાઓ સતત ગ્રાન્ટ વધારાવાની વાત કહેતા આવ્યા છે. પણ હાલમાં અમુક વર્ષોના રેકોર્ડ જણાવે છે કે, કેટલાય પ્રોજેક્ટમાં ઘટાડો થયો છે. સરકારે આંકડામાં પણ સ્વિકાર્યું છે કે, અમુક પ્રોજેક્ટમાં સરકારી ખર્ચમાં તોતિંગ ઘટાડો થયો છે.
શિક્ષણ રાજ્ય મંત્રી સુભાષ સરકારે તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભામાં સાંસદ જવાહર સરકારના એક પ્રશ્નમમાં લેખિત ઉત્તરમાં કહ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ અભિયાન અંતર્ગત વાસ્તવિક વ્યય, રાજ્ય સ્તરીય સંસ્થાઓને મદદ આપવા માટે એક યોજના પર ખર્ચ ક્રમશ: 2018-19, 2017-18, 2017-18 અને 2016-17માં 1393 કરોડ રૂપિયા, 1,245.97 રૂપિયા અને 1,126.9 કરોડ રૂપિયા હતું.
કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડા જણાવે છે કે, યુનિવર્સિટી ગ્રાંટ કમિશનની લઘુ અને મુખ્ય શોઘ પ્રોજેક્ટ અંતર્ગત યોજનામાં ગ્રાંટ પણ 2016-17માં 42.7 કરોડ રૂપિયાથી ધીમે ધીમે ઘટીને 2020-21માં 38 લાખ રૂપિયા થઈ ગયું છે.
સીપીએમના રાજ્યસભા સભ્ય વી. શિવદાસનના એક અલગ પ્રશ્નના જવાબમાં સરકારે ડેટા રજૂ કર્યું. જેનાથી ખબર પડે છે કે, યુજીસીની કેટલીય ફેલોશિપ અને સ્કોલરશિપ યોજના માટે ગ્રાન્ટમાં ઘટાડો થઈ ગયો છે.
UGC દ્વારા આપવામાં આવેલી એમેરિટ્સ ફેલોશિપની સંખ્યા 2017-18માં 559થી ઘટીને 2020-21માં 14 થઈ ગઈ. આ ગાળા દરમિયાન એસ, રાધાકૃષ્ણન પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપની સંખ્યા 434થી ઘટીને 200 થઈ ગઈ. લઘુમતીના વિદ્યાર્થીઓ માટે મૌલાના આઝાદ રાષ્ટ્રીય ફેલોશિપ 2020-21માં 2348 વિદ્યાર્થીઓને આપવામા આવી હતી, જે 2016-17માં 4141 હતી.