દેશમાં એક તરફ પ્રવાસી મજૂરો પગપાળા જ ઘરે જઇ રહ્યા છે. રેલવે વિભાગ દ્વારા શ્રમિકો માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે રેલવેએ શ્રમિકોને ભોજનની મુશ્કેલીઓ ન પડે તેની વ્યવસ્થા કરશે. IRCTC દ્વારા શ્રમિકોને અપાતા નાસ્તા, ભોજનની સમસ્યા સર્જાશે તો રેલવે મદદ કરશે. રેલવે મંત્રાલય દ્વારા આ માટે પ્રતિ શ્રમિક દીઠ 50 રૂપિયાના ખર્ચને મંજૂરી અપાઇ છે.
રેલવેએ શ્રમિકોને ભોજનની મુશ્કેલીઓ ન પડે તેની વ્યવસ્થા કરશે
રેલવે મંત્રાલય દ્વારા આ માટે પ્રતિ શ્રમિક દીઠ 50 રૂપિયાના ખર્ચને મંજૂરી અપાઇ છે
ટ્રેનમાં મુસાફરી કરતા શ્રમિકોને ભોજનને લઇને મુશ્કેલી ન પડે તે માટે રેલવે મંત્રાલય દ્વારા ભોજનની વ્યવસ્થા કરાઇ છે. રેલવે મંત્રાલય અનુસાર જો આઇઆરસીટીસી દ્વારા શ્રમિકોને અપાતા નાસ્તા, ભોજનમાં અછત સર્જાય છે, તો રેલ મંત્રાલય ભોજનની વ્યવસ્થા કરશે. આ માટે રેલવે મંત્રાલય પ્રતિ શ્રમિક દીઠ 50 રૂપિયા ખર્ચને મંજૂરી અપાઇ છે. આ ઉપરાંત આઇઆરસીટીસીના કર્મચારીઓની મદદ માટે રેલવે દ્વારા સુરક્ષા દળ પણ સજ્જ કરાશે.
નોંધનીય છે કે હાલ શ્રમિકોને વતન મોકલવા માટે રેલવે દ્વારા શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવાઇ રહી છે. આ પહેલા ઉત્તર પ્રદેશના ચારબાગ સ્ટેશન પર ભોજનને લઇને પડાપડી થયાનો મામલો સામે આવ્યો હતો. આમ શ્રમિકોના ભોજનને લઇને ઉભા થયેલા પ્રશ્નો બાદ રેલવે મંત્રાલય દ્વારા આમ નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલે શનિવારે કહ્યું કે રેલવે દેશના કોઇપણ જિલ્લાથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવા માટે તૈયાર છે. તેઓએ જિલ્લા કલેક્ટરોને કોરોના વાયરસ લૉકડાઉનને પગલે તેમના વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોનું લિસ્ટ તૈયાર કરવા કહ્યું છે.