શિયાળો શરૂ થતા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમા મોટી સંખ્યામા વિદેશી પક્ષીઓ આવતા હોય છે. ખાસ કરીને જામનગરમા મોટી સંખ્યામા શહેરની મધ્યમમા નજીકથી પક્ષી જોવા મળે છે.
જામનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન
ઓસ્ટ્રેલીયાથી મોટી સંખ્યામા આવે છે પક્ષીઓ
પ્રકૃતિ પ્રેમીઓ માટે લાખોટા તળાવ આકર્ષણનું કેન્દ્ર
શિયાળો શરૂ થતા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમા મોટી સંખ્યામા વિદેશી પક્ષીઓ આવતા હોય છે. અને શિયાળામા લાંબા સમય સુધી અહીના મહેમાન બને છે. ખાસ કરીને જામનગરમા મોટી સંખ્યામા અને નજીકથી પક્ષી શહેરની મધ્યમમા જોવા મળે છે.
લાખોટા ;આકર્ષણનું કેન્દ્ર
જામનગરમા શહેરની મધ્યમા લાખોટા તળાવ આવેલુ છે. જે વિદેશી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન માનનવામા આવે છે. શિયાળાની શરૂઆતથી હજારોની સંખ્યામા અનેક વિવિધ પક્ષીઓ અહીના મહેમાન બને છે. ખાસ કરીને ઓસ્ટ્રેલીયાથી મોટી સંખ્યામા સીગલ પક્ષી અહી શિયાળો ગાળવા માટે આવે છે. તળાવ નજીક મોટી સંખ્યામા સીગલ પક્ષી જોવા મળે છે. પક્ષીપ્રેમીઓ આ વિદેશી મહેમાનોને નજીકથી અને મોટી સંખ્યામા નિહાળવવા દુર-દુરથી દોડી આવે છે. પક્ષીઓને વિવિધ અદાઓમા જોઈને પક્ષી પ્રેમીઓ ખુબજ ખુશ થાય છે. અને સ્થાનિક પક્ષીપ્રેમીઓ દરરોજ પક્ષીઓને જોવા આવે છે.
જામનગરમા વિદેશી પક્ષીઓ આવે છે. તેનુ મુખ્ય કારણ છે અનેક વિધ પ્રતિકુળતાઓ અને પક્ષીઓને અનુરૂપ વાતાવરણ તેમજ પુરતા પ્રમાણમા ખોરાક મળે છે. અંહીનુ વાતાવરણ તેને અનુરૂપ હોય છે. તેમજ તળાવમા નાની જીવાત, દેકડા, માછલા સહીતનો પુરતો ખોરાક મળ રહે છે. તેથી મોટી સંખ્યામા અહી વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. શહેરની મધ્યમા માનવ વસાહત નજીક મોટી સંખ્યામા પક્ષી માત્ર જામનગરમા જ જોવા મળે છે.
અનેક અનુકુળતાઓ પક્ષીઓને જામનગર ખેચી લાવે છે અને આ પક્ષીઓને નિહાળવા દુર-દુરથી લોકો અહી દોડી આવે છે. અને દર વર્ષે મોટી સંખ્યમા આવતા પક્ષીઓ જામનગરની ઓળખ બની ગયા છે.
પક્ષીઓને ઘઉંનો લોટ કે ગાંઠિયા ના,આપવા અપીલ
જામનગર શહેરના લાખોટા તળાવ તેમજ રણમલ તળાવના ભાગમાં અનેક વિદેશી પક્ષીઓ આવીને વિહાર કરતા હોય છે. તેઓને જામનગરની પક્ષી પ્રેમી જનતા દ્વારા ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે. મીઠા પાણીમાં માછલા તથા અન્ય જળચર પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરનારા આવા પક્ષીઓને કેટલીક કઠોળ સહિતની સામગ્રી પણ પ્રિય હોય છે. પરંતુ કેટલાક જામનગરવાસીઓએ ઘઉંનો લોટ અથવા ગાંઠિયા પણ આપવાનું શરૂ કર્યું છે. જે સામગ્રી પક્ષીઓ માટે ઘાતક નીવડે છે.
તાજેતરમાં જ 35થી વધુ વિદેશી પક્ષીઓના મૃત્યુના પોસ્ટમોર્ટમના અહેવાલમાં માત્ર ફૂડ પોઈઝનીંગના કારણે જ મૃત્યુ થયું હોવાનું અને ગાંઠીયા અથવા તો ઘઉંના લોટ જેવી સામગ્રી ખાધા પછી મૃત્યુ થઈ રહ્યા હોવાનું પ્રાથમિક તારણ મળી રહ્યું છે. જેથી જામનગરની જનતાને પણ તંત્ર દ્વારા આવી પક્ષીઓ માટેની અખાદ્ય સામગ્રી નહીં આપવા અનુરોધ કરાયો છે.