Exit Poll 2019 / 78 બેઠક બદલી શકે છે ચૂંટણીનું ગણિત: તેના પર હાર-જીત પક્ષોનું કિસ્મત નક્કી કરશે

Exit polls these 78 tight fight seats are important bjp congress

19 મેનાં રોજ જ્યારે અંતિમ તબક્કાના મતદાન બાદ લગભગ તમામ એક્ઝિટ પોલના અનુમાન આવ્યાં ત્યારે પીએમ મોદીના આત્મવિશ્વાસને નવું બળ મળ્યું. એક્ઝિટ પોલના કેટલાક અનુમાન એવા પણ છે જે ફક્ત ભાજપને ઈતિહાસ રચવાથી નહીં રોકે પણ કોંગ્રેસના ગ્રાફને પણ ઐતિહાસિક એવા નિમ્નસ્તરે લઈ જઈ શકે છે. એક્ઝિટ પોલનાં અનુમાનોમાં એ તથ્યો સામે આવ્યાં છે કે, દેશભરની ૭૮ લોકસભા બેઠકો પર ખરાખરીનો મુકાબલો થવાનો છે. જોકે આ બેઠકોમાંથી મોટાભાગની બેઠકો પર ભાજપ કે તેના સહયોગી પક્ષો આગળ દર્શાવાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ