19 મેનાં રોજ જ્યારે અંતિમ તબક્કાના મતદાન બાદ લગભગ તમામ એક્ઝિટ પોલના અનુમાન આવ્યાં ત્યારે પીએમ મોદીના આત્મવિશ્વાસને નવું બળ મળ્યું. એક્ઝિટ પોલના કેટલાક અનુમાન એવા પણ છે જે ફક્ત ભાજપને ઈતિહાસ રચવાથી નહીં રોકે પણ કોંગ્રેસના ગ્રાફને પણ ઐતિહાસિક એવા નિમ્નસ્તરે લઈ જઈ શકે છે. એક્ઝિટ પોલનાં અનુમાનોમાં એ તથ્યો સામે આવ્યાં છે કે, દેશભરની ૭૮ લોકસભા બેઠકો પર ખરાખરીનો મુકાબલો થવાનો છે. જોકે આ બેઠકોમાંથી મોટાભાગની બેઠકો પર ભાજપ કે તેના સહયોગી પક્ષો આગળ દર્શાવાયા છે.
નવી દિલ્હીઃ 17મી લોકસભા માટે 17 મેના રોજ અંતિમ અને સાતમા તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર સમાપ્ત થયો અને એ જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સામે આત્મવિશ્વાસ સાથે ફરીથી એક વખત સત્તામાં આવવાનો દાવો પણ કરી દીધો હતો. 19 મેનાં રોજ જ્યારે અંતિમ તબક્કાના મતદાન બાદ લગભગ તમામ એક્ઝિટ પોલના અનુમાન આવ્યાં ત્યારે પીએમ મોદીના આ આત્મવિશ્વાસને નવું બળ મળ્યું.
એક્સિસ માય ઈન્ડિયા અને આજતકના એક્ઝિટ પોલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને દૂર-દૂર સુધી કોઈ પડકાર મળતો નથી દેખાડ્યો. ભાજપની આગેવાનીવાળા એનડીએને ૫૪૩માંથી ૩૩૯થી ૩૬૫ બેઠકો મળવાનું અનુમાન છે. ભાજપને જ ૨૯૩થી ૩૧૬ બેઠકો મળે તેવી શક્યતા એક્ઝિટ પોલમાં વ્યક્ત કરાઈ છે. જો આ અનુમાનો હકીકતમાં બદલાશે તો પીએમ મોદીનું રાજકીય કદ અનેકગણું વધી જશે તે નક્કી છે.
એક્સિસ માય ઈન્ડિયા અને આજતકના એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપની સીટોનું અનુમાનઃ
NDA
BJP
339-365
293-316
એક્ઝિટ પોલના કેટલાક અનુમાન એવા પણ છે જે ફક્ત ભાજપને ઈતિહાસ રચવાથી નહીં રોકે પણ કોંગ્રેસના ગ્રાફને પણ ઐતિહાસિક એવા નિમ્નસ્તરે લઈ જઈ શકે છે. એક્ઝિટ પોલનાં અનુમાનોમાં એ તથ્યો સામે આવ્યાં છે કે, દેશભરની ૭૮ લોકસભા બેઠકો પર ખરાખરીનો મુકાબલો થવાનો છે. જોકે આ બેઠકોમાંથી મોટાભાગની બેઠકો પર ભાજપ કે તેના સહયોગી પક્ષો આગળ દર્શાવાયા છે.
એક્ઝિટ પોલ અનુસાર ટફ ફાઈટવાળી આ બેઠકોમાંથી ૩૭ પર એનડીએ (૩૩ ભાજપ, ચાર ગઠબંધન દળ) આગળ ચાલી રહ્યા છે, જ્યારે ૧૭ બેઠકો પર યુપીએનો દબદબો છે. તેમાંથી ચાર બેઠક પર કોંગ્રેસના સહયોગી પક્ષો આગળ છે, જ્યારે ૧૩ પર ખુદ કોંગ્રેસ લીડ કરી રહી છે. આ બંને મુખ્ય પક્ષો ઉપરાંત બાકીની બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી), ટીડીપી, વાયએસઆર, બીજેડી, બસપા અને સીપીઆઈએમ જેવા પક્ષોના ઉમેદવારો આગળ છે.
સૌથી રસપ્રદ વાત એ છે કે, આ તમામ ૭૮ બેઠકો પર વિજેતા ઉમેદવાર અને બીજા સ્થાન પર રહેનારા ઉમેદવાર વચ્ચે ફક્ત ૩ ટકા વોટનું જ અંતર રહી જાય છે. જે કોઈ પણ પક્ષ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. જેની મોટી અસર પરિણામોમાં જોવા મળશે. જે ૩૩ બેઠકો પર ભાજપ આગળ દર્શાવાયો છે તે તમામ પર જો તે હારે તો ભાજપનો આંકડો ૨૮૫ બેઠક પર આવી જશે અને તો પણ તે પૂર્ણ બહુમતી મેળવી લેશે.