લોકસભાની ચૂંટણીના મહાપરિણામ જાહેર થવામાં માત્ર ગણતરીના જ કલાકોની વાર છે..ત્યારે દેશના સૌ કોઈ નાગરિકના મનમાં પરિણામને લઈને ઉત્સુકતા છે કે આખરે દેશની ગાદી પર કોણ બિરાજમાન થશે જો કે એગ્ઝિટ પોલે તો દેશની ગાદી પર નરેન્દ્ર મોદીને બિરાજમાન કરી જ દીધા છે..પરંતુ તેમ છતાં પરિણામોની રાહ તો જોવી જ રહી...અને એટલે જ નેતાઓના ગ્રહોની દશા શું કહે છે તેના પર ચર્ચા કર્યા બાદ હવે એગ્ઝિટ પોલ અને પરિણામો અંગે દેશની ચોથી જાગીર કહેવાતા પત્રકારોનો મત પણ જાણવાનો પ્રયત્ન કરીશું....માત્ર પત્રકારો જ નહીં પરંતુ તેની સાથે સાથે રાજકીય વિશ્લેષકો પણ પરિણામોને કઈ રીતે જોઈ રહ્યા છે..કયા કયા પરિબળો મોદીની તરફેણમાં હશે ક્યા પરિબળો કોંગ્રેસની તરફેણ હશે તે તમામ પાસાઓ પર આજે ચર્ચા કરીશું અમારી ખાસ રજૂઆતમાં લોકઆશિષનું હકદાર કોણમાં...