મોદી સરકાર કેન્દ્રમાં ફરીએકવાર ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. આ તારણ એક્ઝિટ પોલમાં સામે આવ્યા છે. જો મોદી સત્તામાં આવે છે તો અનેક મહત્વના મુદાઓ જેના પર નિર્ણય લેવાના બાકી છે તેના પર મોદી નિર્ણય આવી શકે છે. જેમાં આ 8 મુદાઓ મહત્વના રહેશે.
બેનામી સંપત્તિ પર તવાઈ!
મોદી સરકારે 2014માં આવતાની સાથે જે નોટબંધી અને GST જેવા પગલાં ઉઠાવ્યા, તેનાથી દરેક લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. વિપક્ષે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. પરંતુ મોદી સરકાર પૂરી તાકત સાથે આગળ વધી. જો સત્તામાં તેમને પૂર્ણ બહુમતી મળશે તો બેનામી સંપત્તિધારકો પર ફરીએકવાર તવાઈ આવશે..અને તેના કારણે કાળુનાણુ બહાર આવશે.
GSTમાં સુધારો
ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સને લઇ હજુ પણ લોકોમાં કન્ફયુઝન છે, શરૂઆતની મુલાકાતમાં GSTને લઇ નાના-મોટા વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો..પરંતુ ચૂંટણી પહેલાં સરકાર સતત GST દરોમાં સમીક્ષા કરી લોકોને રાહત આપી હતી. જો મોદી સરકાર સત્તામાં ફરીથી આવે છે તો ફરી GSTમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
1 દેશ 1 ચૂંટણીનો નિર્ણય
પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના એજન્ડામાં એક સાથે એક ચૂંટણી એટલે કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી સાથે થાય. તેને લઇ રાજ્યો સાથે વાત કરાઈ હતી. .પરંતુ વાત બની ન હતી. હવે જો પૂર્ણ બહુમતીની સાથે સત્તા ભાજપના હાથમાં આવશે તો નરેદ્ર મોદીના આ એજન્ડા પૂરો થઇ શકે છે.
NRCના મુદ્દા પર અડગ
પૂર્વોત્તરમાં NRCનો મુદ્દો આ વખતે ચૂંટણીમાં છવાયેલો હતો. અસમ-અરૂણાચલ પ્રદેશમાં જે રીતે વિરોધ છતાંય ભાજપ આ મુદ્દાને વળગી રહ્યું. ભાજપે NRCને આખા દેશમાં લાગૂ કરવાનું વચન આપ્યું છે. એવામાં એક્ઝિટ પોલના પરિણામ જો સાચા સાબિત થયા તો નવી કેદ્ર સરકાર તેને હકીકતમાં બદલી શકે છે.
સમાન નાગરિક કાયદો
દરેક નાગરિક માટે એક જ કાયદાનો મુદ્દો ભાજપ ઘણા સમયથી ઉઠાવી રહ્યું છે. કોઇપણ ધાર્મિક કાયદાની જગ્યાએ માત્ર સંવિધાનનો કાયદો ચાલશે. તેના અંતર્ગત દરેક પરિવારમાં બે બાળકો, લગ્ન, સંપત્તિના અધિકાર નિયમતિ કરાવી શકે છે.
આતંકવાદનો સફાયો
આતંકવાદને લઇ મોદી સરકાર બિલકુલ સતર્ક છે. 282 બેઠકોના દમ પર જ ભાજપની સરકારે પાકિસ્તાનની વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યું હતું. તે સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પછી એર સ્ટ્રાઇક હોય. એક્ઝિટ પોલના મતે જો ભાજપ ફરીથી સત્તામાં આવે છે તો પાકિસ્તાનની વિરૂદ્ધ આકરા નિર્ણય લઈ શકે છે.
ટ્રિપલ તલાક પર નિર્ણય?
મુસ્લિમ મહિલાઓને હક અપાવાની વાત કરી ભાજપે સંસદમાં ટ્રિપલ તલાક બિલ રજૂ કર્યું. જેમાં પોતાની પત્નીઓને ત્રણ વખત તલાક બોલનાર મુસ્લિમ પુરુષોની વિરૂદ્ધ એક્શન લેવાની વાત હતી. ભાજપ આ બિલને લોકસભા-રાજ્યસભામાં લાવી ચૂકી છે, પરંતુ વિપક્ષે દર વખતે બિલને પાસ થવા દિધું ન હતુ. .જો ભાજપ સત્તામાં આવશે તો આ કાયદો જરૂરથી લાગૂ કરી શકે છે.
કલમ 370 અને 35A હટાવશે!
જમ્મુ કશ્મીરમાં 370 અને 35Aની કલમ હટાવવાની તૈયારી મોદી સરકાર ઘણા સમયથી કરી રહ્યું છે. આ વખતની ચૂંટણી સભાઓમાં પણ મોદી અને અમિત શાહ આ કલમ હટાવવાની વારંવાર વાત સરાજાહેર કરતા આવ્યા છે. અને આ RSS અને ભાજપના એજન્ડામાં ખુબ મહત્વની માનવામાં આવે છે. જો સત્તા મળશે તો આ કલમો હટવાની શક્યતા સેવાઈ રહી છે.