ગુજરાત સહિત દેશમાં કરોડો લોકો ડાયાબિટીશથી પિડાય છે. ડાયાબિટીશ મટાડવા જાતજાતના નુસ્ખા અને અખતરા પણ લોકો કરતા હોય છે. જોકે નિયમિત એકસર્સાઇઝ અને ખાનપાનથી આ રોગને કાબુમાં રાખી શકાય છે. જાપાનનાં ટોયોકા હોસ્પિટલનાં મેડિકલ સેન્ટરનાં વિજ્ઞાનીઓએ ડાયાબિટીશથી પિડાતા 18 લોકોની પસંદગી કરી. તેમને બ્રેકફાસ્ટના ત્રણ કલાક પછી માત્ર ત્રણ મિનિટ પગથિયા ચડવા-ઉતરવાની એકસર્સાઇઝ કરવાનું કહ્યું.
ગુજરાત સહિત દેશમાં કરોડો લોકો ડાયાબિટીશ (Diabetes) થી પિડાય છે. ડાયાબિટીશ મટાડવા જાતજાતના નુસ્ખા અને અખતરા પણ લોકો કરતા હોય છે. જો કે નિયમિત એકસર્સાઇઝ અને ખાનપાનથી આ રોગને કાબુમાં રાખી શકાય છે. સામાન્ય રીતે ડાયાબિટીશના દર્દી બીજી કોઇ એક્સર્સાઇઝ (Exercise) ન કરી શકે અને નિયમિત અડધો કલાક ઝડપથી ચાલે તો પણ ઘણો બધો ફાયદો થાય છે. જોકે હમણા ડાયાબિટીશના દર્દીઓ માટેનું ઉપયોગી સંશોધન થયું છે.
જાપાનનાં ટોયોકા હોસ્પિટલનાં મેડિકલ સેન્ટરનાં વિજ્ઞાનીઓએ ડાયાબિટીશથી પિડાતા 18 લોકોની પસંદગી કરી. તેમને બ્રેકફાસ્ટના ત્રણ કલાક પછી માત્ર ત્રણ મિનિટ પગથિયા ચડવા-ઉતરવાની એકસર્સાઇઝ કરવાનું કહ્યું, જયારે બપોરના ભોજનના એક કલાક અને બે કલાક પછી ફરી ત્રણ મિનિટ તે રિપીટ કરવાનું કહ્યું. આ દર્દીઓને તેઓ જે પણ દવા લેતા હતા તે પણ રોજની જેમ લેવાનું ચાલુ રાખવા કહેવાયું હતું.
દર્દીએ બીજા માળ સુધી પ્રતિ મિનિટ 80થી 110 પગથિયાની સ્પીડે ચડવાનું કહેવાયું હતું. સંશોધનમાં જણાયું કે જેમણે પગથિયા ચડવાના સેશનમાં ભાગ લીધો હતો તેમનું બ્લડ સુગર લેવલ જેઓ પગથિયા ચડયા ન હતા તેમના કરતા નીચુ આવ્યું હતું. આ એકસરસાઇઝ રેગ્યુલર કરવાથી દર્દીનનું હાર્ટ પણ મજબુત થાય છે. સંશોધકોએ આ પ્રયોગ માટે જે દર્દીઓને પસંદ કર્યા હતા તેમને સાંધા,સ્નાયુ કે રકતવાહિની સંબંધી કોઇ સમસ્યા ન હતી.
આ સંશોધને વધુ એકવાર પુરવાર કર્યું છે કે ડાયાબિટીશના દર્દીઓ માટે સ્વસ્થ જીવન જીવવા દવા,યોગ્ય ખાનપાન ઉપરાંત નિયમિત એકસર્સાઇઝનો કોઇ વિકલ્પ નથી. જોકે કોઇપણ એકસર્સાઇઝ કરતા પહેલા ડોકટરની સલાહ જરુર લેવી જોઇએ. નહીંતર ફાયદાનાં બદલે ગંભીર નકસાન થવાનો પણ ખતરો રહે છે.