જમ્મૂ-કશ્મીરમાં ગુરુવારના રોજ CRPFના જવાનો પર થયેલા આતંકી હુમલો બાદ પજાંબના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ઘુએ શુક્રવારે કહ્યુ કે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વાતચીત કરવી જોઇએ. તેમણે પાકિસ્તાન પ્રત્યે નરમ વલણ દાખવતા જણાવ્યુ કે ''આતંકવાદીઓનો કોઇ દેશ નથી આતંકીઓનો કોઇ ધર્મ નથી અને તેમની કોઇ જાતિ પણ નથી હોતી.''
પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ઘુએ આતંકી હુમલાને લઇને નિવદેન આપ્યુ છે. તેના કારણે ખળભળાટ મચી ગયો હતો તેથી લોકોએ કપિલ શર્માના શોનો બહિષ્કાર કર્યો. કપિલ શર્માના શોમાં જજની માફક ખુરશી પર બેસનાર નવજોત સિંહ સિદ્ઘુ ફરી વિવાદનુ કેન્દ્ર બન્યા છે આ વચ્ચે સોની ચેનલના શો 'ધ કપિલ શર્મા શો'માંથી નવજોતસિંહ સિદ્ઘુની કાઢી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સિદ્ઘુની જગ્યાએ અર્ચના પૂરણ સિંહને લેવામાં આવશે
ઉલ્લેખનીય છે કે CRPFના કાફલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોના 78 જવાનો પણ શામેલ હતા. જેમાંથી મોટાભાગના જવાનો પોતાની રજા પૂરી કરીને ડ્યૂટી જોઇન્ટ કરવાના હતા. એવામાં આતંકી હુમલો થતા 40 જવાનો શહીદ થયા હતા. આ ઉપરાંત જવાનોના વાહનો પર ફાયરિંગ પણ કરવામાં આવ્યુ હતુ.