કેનેડામાં ડીંગુંચાનો ગુજરાતી પરિવારના મોત મામલે વીટીવી પાસે એક્સક્યુઝિવ માહિતી, US પહોંચવા માટે માઇનસ ડિગ્રીમાં બોર્ડર ક્રોસ કરવાનો હતો પ્લાન
ગુજરાતી પરિવાર કેનેડા સુધી કેવી રીતે પહોંચ્યો
ડિગુંચા પરિવારનો કેનેડામાં મૃત્યુનો મામલો
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપાઈ તપાસ
21 જાન્યુઆરીએ કેનેડામાં ગુજરાતી પરિવારના મોત મામલે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. કેવી રીતે ગુજરાતી પરિવાર કેનેડા પહોંચ્યો હતો તેને લઇને વીટીવી પાસે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. વધુ પડતી ઠંડી એટલે કે માઇનસ તાપમાનને કારણે દંપત્તિ અને બે બાળકોના મોત નીપજ્યા હતા.
આવી રીતે કેનેડા પહોંચ્યો હતો પરિવાર
ડિંગુચાનો પરિવાર યુરોપ ફરવા માટે વિઝિટર વીઝા પર ગયો હતો
યુરોપથી પરિવારે યુકેમાં વિઝિટર વીઝાના માધ્યમથી પ્રવેશ મેળવ્યો હતો
યુકેમાં પહોચ્યા બાદ ત્યાથી દરિયાઇ માર્ગે કેનેડા જવાનું નક્કી કર્યું
યુકેથી દરિયાઇ માર્ગે કેનેડાની દરિયાઇ બોર્ડર પર ઉતર્યા હતા
એજન્ટના પ્લાનિંગ મુજબ તેઓ બોર્ડર પર પહોંચ્યા હતા
એજન્ટના પ્લાનિંગ મુજબ માઇનસ ડિગ્રીમાં બોર્ડર ક્રોસ કરવાનો પ્લાન કર્યો હતો
પરિવાર ગૃપથી અલગ પડી જતા બોર્ડર ક્રોસ કરવામાં ગયો હતો નિષ્ફળ
માઇનસ તાપમાનને કારણે પરિવારનું થયું હતું મોત
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપાઈ તપાસ
ડિગુંચા પરિવારનો કેનેડામાં મૃત્યુને લઇને ચકચાર મચી છે. વિદેશ જવા માટે લોકો હદ સુધી જોખમ ઉઠાવે છે તે વાસ્તવિકતા પરથી આ ઘટનાને કારણે પરદો ઉઠ્યો છે. સમગ્ર મામલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપાઇ છે. DySP કક્ષાના અધિકારીઓ તપાસમાં જોડાશે.
સખત કાર્યવાહી કરીશઃ જસ્ટિન ટ્રૂડો
કનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ શુક્રવારે ચાર ભારતીયોના મોત બાદ માનવ તસ્કરી મામલે કડકમાં કડક કાર્યવાહી કરવાની કસમ ખાધી છે. આ ચારેય ભારતીયો કથિત રીતે કેનેડા અને અમેરિકા વચ્ચે સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા જે દરમિયાન વધારે પડતી ઠંડીને લીધે તેઓ મોતને ભેટ્યા. આ મામલે જસ્ટિન ટ્રૂડોએ જણાવ્યુ કે આ એક હેરાન કરી દેનારી વાત હતી. એક પરિવારને આ રીતે મરતા જોવુ એ ખરેખર દુખની વાત છે. આનાથી વધારે ખરાબ બાબત તો એ છે કે તેઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને માનવ તસ્કરીને અંજામ આપવો. તેમણે વધુમાં જણાવ્યુ કે અમે લોકો અનિયમિત અને ગેરકાયેદસર રીતે સરહદ પાર કરનારને રોકવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહ્યા છીએ આમ કરવામાં મોટુ જોખમ છે તે પણ અમે જાણીએ છીએ.
ક્યાંથી મળ્યા હતા મૃતદેહ
યલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી) એ ગુરુવારે જણાવ્યું હતું કે, ઇમર્સનની નજીક કેનેડિયન-યુએસ બોર્ડર પર કેનેડા બાજુએથી બુધવારે ચાર મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં બે પુખ્ત વયના લોકો હતા જ્યારે એક કિશોર અને એક શિશુ હતું. કેનેડાનું મૈનિટોબા પ્રાંત મિનેસોટામાં યુએસ સરહદથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલુ છે.
ચાર કલાકની શોધખોળ બાદ મૃતદેહો મળ્યા
કેનેડિયન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસના આ ખૂબ જ પ્રારંભિક તબક્કે એવું લાગે છે કે તેઓ બધા બરફના તોફાનમાં થીજી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. મૃતદેહ મળ્યા પહેલાં એ જ દિવસે યુએસ બાજુના બોર્ડર એજન્ટોએ એવા લોકોના ગ્રુપની અટકાયત કરી હતી જેઓ થોડીવાર પહેલાં જ બોર્ડર ઓળંગી ગયા હતા. એને કારણે સરહદની બંને બાજુએ શોધખોળ શરૂ થઈ હતી. ચાર કલાકની શોધખોળ બાદ પહેલા મૃતદેહો મળી આવ્યા હતા.