ગુજરાત સરકારે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ જેઓ આ મહિને રીટાયર થઇ રહ્યા હતા ત્યારે તેમના 6 મહિનાના એક્સ્ટેંશન માટે કેન્દ્રના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેઇનિંગને વિનંતી જેને હવે મંજૂરી મળી છે તેવી ટૉચના સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં અને તાજેતરમાં પણ VTVGujarati.com એ આ બાબતે સૌપ્રથમ માહિતી આપી હતી.
ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકીમને 6 મહિનાનું એક્સ્ટેનશન મળ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની મુકીમના એક્સ્ટેનશનની અરજીને મંજૂર કરી. આ મહિનાના અંતે રિટાયર થઈ રહેલા મુકીમ હવે ફેબ્રુઆરી 2021સુધી CSના પદે રહેશે. ગુજરાત સરકારે રાજ્યની હાલની કોરોનાની સ્થિતિ અને આર્થિક હાલતને ધ્યાનમાં રાખતા મુકીમ આ પદ માટેના સૌથી યોગ્ય અધિકારી છે. આ માટે જ ગુજરાત સરકારે કેન્દ્રમાં વિનંતી કરી હતી જે ગ્રાહ્ય રાખવામાં આવી હતી.
આ કારણથી મુકીમને એક્સ્ટેન્શન મળ્યું હોઈ શકે
નોંધનીય છે કે મુકીમ એક કુશળ બ્યુરોક્રેટિક અધિકારી છે જેઓ રાજ્યના હિત કોઈ પણ બાબત કરતા સૌથી ઉપર રાખે છે. તેઓને દિલ્હીથી ચીફ સેક્રેટરી તરીકે ગુજરાત મૂકવામાં આવ્યા હતા જેથી એવું માનવામાં આવે છે કે તેઓને દિલ્હીમાં કેન્દ્ર સરકાર સાથે નિકટના સંબંધો છે.
અનિલ મુકીમની જગ્યા પર આ નામો હતા ચર્ચામાં
અનિલ મુકીમનો 6 મહિનાનો કાર્યકાળ વધારી દેવાયો છે પરંતુ ચર્ચા એ પણ હતી કે જો હાલમાં રિટાયર્મેન્ટ મળી હોત તો નવા ચીફ સેક્રેટરીના દાવેદાર તરીકે કેટલાંક નામો ચર્ચાતા હતા.
જેમાં 1. એડિશનલ ચીફ સેક્રેટરી (રેવન્યુ) પંકજ કુમાર, 2. એડિશનલ ચીફ સેક્રેટરી (પર્યાવરણ અને વનવિભાગ), ડો રાજીવ કુમાર ગુપ્તા, 3. એડિશનલ ચીફ સેક્રેટરી (લેબર અને એમ્પ્લોયમેન્ટ), 4. એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રા અને 5. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઇન્ટર્નલ ટ્રેડ (DIPP)ના સેક્રેટરી ગુરુપ્રસાદ મહાપાત્રા જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે.
જ્યારે આ જ બૅચના અન્ય બે અધિકારીઓ એડિશનલ ચીફ સેક્રેટરી (ગૃહ વિભાગ) સંગીતા સિંહ અને કેન્દ્ર સરકારના ફાર્માસ્યુટિકલ્સના સેક્રેટરી P D વાઘેલા ડિસેમ્બરમાં રીટાયર થઈ રહ્યાં છે આથી તેઓ રેસની બહાર નીકળી જાય છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 17, 2020
અનિલ મુકીમના ફેબ્રુઆરી 2021ની નિવૃત્તિ બાદ કેન્દ્ર આ અધિકારીની કરી શકે નિમણૂક
જો કે આ પૈકી મુખ્ય સ્પર્ધા ત્રણ અધિકારીઓ એટલે કે પંકજ કુમાર, ડો રાજીવ ગુપ્તા અને ગુરુપ્રસાદ મહાપાત્રા વચ્ચે છે. જો કેન્દ્ર સરકાર તેમના પોતાના અધિકારીને રાજ્યમાં મુકવાની ઈચ્છા રાખતા હોય તો મહાપાત્રા નવા ચીફ સેક્રેટરી બનવા માટે ફેવરિટ મનાય છે. તેઓ પાસે માર્ચ 2021થી માર્ચ 2022 સુધીનો સમય હશે ત્યાર બાદ તેઓ નિવૃત્ત થશે.