હર્ષ સંઘવી સાથે ખાસ વાતચીત; મજૂરામાં ગલીઓમાં નાનાથી મોટો થયો છું, અને અહીં બધાજ મારા પરિવાર જેવા છે.
હર્ષ સંઘવી સાથે ખાસ વાતચીત
મોરબી પુલ દુર્ઘટના અંગે બોલ્યા હર્ષ સંઘવી
મજૂરા મારી જન્મભૂમિ અને કર્મભૂમિ: સંઘવી
ગુજરાત વિધાનસભા ચૂંટણીને રાજકારણમાં પહલચહલ મચી છે. રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગૃહરાજ્યમંત્રી અને મજૂરા બેઠકના ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે. જેમાં તેમણે પોતાને મજૂરાનો મિત્ર ગણાવ્યો છે તેમણે એમ પણ કહ્યું હતું કે, મજૂરા મારી જન્મભૂમિ અને કર્મભૂમિ તેમજ 2012માં કોંગ્રેસના ઉમેદવાર મને છોકરો સમજતા હતા અને મારી ડિપોઝીટ જતી રહેશે તેવી પણ વાતો થઈ હતી પરંતું 2012માં મેં ભવ્ય જીત મેળવી હતી તેમજ વધુ વિવિધ પ્રશ્નોના જવાબમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી શુ કહ્યું, ચાલો જાણીએ
હર્ષ સંઘવી સાથે ખાસ વાતચીત સવાલ: મજૂરા બેઠક પર તમારી કેવી તૈયારીઓ છે?
જેના જાવાબમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મજૂરામાં ગલીઓમાં નાનાથી મોટો થયો છું, અને અહીં બધાજ મારા પરિવાર જેવા છે. સવાલ: દક્ષિણ ગુજરાતમાં રસાકસી જબરજસ્ત છે અને આ વખતે ત્રીજો પક્ષ પણ છે?
જે સવાલના જવાબમાં કહ્યું કે, ગુજરાતને ગુજરાતનો દિકરો જ સમજી શકે છે, તેમણે કહ્યું કે, આપણે ગુજરાતી તરીકે દરેકની મહેમાનગતિને સ્વીકારતા હોઈ છીએ પરંતુ મહેમાન માની બેસે કે આજ મારૂ ઘર છે તો તેને પાછા ઘેર પરત મોકલવાની જવાબદારી પણ આપણી જ હોય છે, તેમજ ગુજરાતમા ત્રીજા પક્ષને જનતા માનતો જ નથી. 2022માં ગુજરાતની જીત થશે સવાલ: તમે મંત્રી પણ છો તમારા માટે આ સમયગાળા દરમિયાન શું ચેલ્નજીંગ બાબત શું હતી?
જેના જવાબમાં જણાવ્યું કે, 2002 પહેલા ગુજરાત આપણા કાયદાથી ન હોતું ઓળખાતું પરંતુ રમખાણો, ગુન્ડાઓથી ઓળખાતું હતું, મોદીજી આવ્યા બાદ ઘણુ બધુ બદલાવ દીધુ હતુ. પરંતુ મોદીજી અને અમિત શાહ ભરોસો મૂક્યો હોય ત્યારે ખૂહ જવાબદારી વધી જાય છે. અમારે અલગ જ લેવલથી કામ કરવાનું હોય છે. સવાલ: મોરબી દુર્ઘટના લઈ ઘણાં બધા આક્ષેપો થયા?
જેના જવાબમાં કહ્યું કે, આ ઘટના બની 1.5 કલાકમાં FIR દાખલ કરી દીધી હતી. FIRમાં સ્પષ્ટ લખાયું છે કે, આ પૂલ સાથે જોડાયેલા તમામના નામ લખાયુ જ છે. FIR એવી રીતે લખાઈ છે કે કોઈ જવાબદાર નહીં બચે. આ ધટનામાં જે વ્યક્તિઓને ભૂલ કરી હશે તેમાંથી કોઈ બચવાના નથી. સવાલ: સોશિયલ મીડિયમાં ચર્ચા ચાલી રહી છે કે, તમારી આવક વધી છે શુ કહેશો?
જેના જવાબમાં તેમણે કહ્યું કે, ફાર્મ પર પહેલા પાને સંપત્તિ લખેલી હોય છે જે બાબતે જાણી જોઈને હાઈ લાઈટ કરવામાં આવી છે પરંતુ પાછલા પાને કેટલી લોન છે તે કાપી કેટલું બચે છે તે જાવું મહત્વનું હોય છે પરંતુ જે પાર્ટી આ વાયરલ કરી રહી છે તે પાર્ટી ફક્ત લેવાનું જ સમજે છે આપવાનું સમજતી નથી.