એરબેઝ નાગરી કુંશા એરપોર્ટ પર છે જે પેંગોંગ લેકથી લગભગ 200 કિલોમીટરના અંતર પર તિબેટમાં સ્થિત છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં લદ્દાખમાં ભારતીય અને ચીની સેના વચ્ચે તણાવની પરિસ્થિતિ છે.
એરબઝ નાગરી કુંશા એરપોર્ટ પર ફાઈટર વિમાન
શું ચીન હુમલાની ફિરાકમાં છે
ચીન લદ્દાખથી 200 કિમીની અંતરે કરી રહ્યું છે એવું કે
ચીને લદ્દાખની નજીક પોતાનું એરબેસનો વિસ્તાર વધાર્યો છે. એક મીડિયા હાઉસને મળેલી તસ્વીરોમાં તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. તસ્વીરોમાં ફાયટર વિમાનોને એરબેઝના ટરમૈક પર સ્પષ્ટ રુપે જોઇ શકાય છે. ઉલ્લેખનીય છે કે આ એરબેઝ આ નાગરી કુંશા એરપોર્ટ પર છે. જે તિબેટમાં સ્થિત છે. જે પેંગોંગ લેકથી લગભગ 200 કિલોમીટર દૂર છે. નોંધનીય છે કે ભૂતકાળમાં છેલ્લા કેટલાક સમયમાં લદાખમાં ભારતીય અને ચીની સેના વચ્ચે તણાવની પરિસ્થિતિ છે.
આ એરપોર્ટ અને રનવે 6 એપ્રિલ 2020 ની સેટેલાઇટ તસવીરમાં જોઇ શકાય છે. પરંતુ 21 મે 2020 ની તસવીરોમાં ઘણું પરિવર્તન જોવા મળી રહ્યું છે. નવી તસવીરમાં મોટા પાયે એરબેઝની પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે.
નવી તસવીરમાં એક નવો ટ્રેક પણ દેખાય છે. જે સમાનાંતર ટેક્સી ટ્રેક હોઈ શકે છે. અથવા બની શકે કે આ ઉંચાઈ પર હેલિકોપ્ટર માટે આ સ્થાન બનાવવામાં આવ્યું છે.
ત્યાં એક બીજી તસવીર છે જે ભારત માટે ચિંતાનો વિષય હોઈ શકે છે. આ તસવીરમાં 4 ફાઇટર એરક્રાફ્ટ આ એરબેઝ પર ઉભા જોવા મળી રહ્યા છે. આ કાંતો જે-11 અથવા જે-16 હોઈ શકે છે. જે રશિયન સુખોઇ -27 અથવા સુખોઇ-30 ના વૈરિએન્ટ છે. આ ચીનના મુખ્ય લડાકુ વિમાન છે અને ભારતીય સરહદથી માત્ર 200 કિમી દૂર તેમની તૈનાતી ભારત માટે ખરેખર ચિંતાનો વિષય છે.
નોંધપાત્ર વાત એ છે કે, પૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ કન્ટ્રોલ (એલએસી)ની નજીક ઘણા વિસ્તારોમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે તણાવ ચાલુ રાખે છે અને વર્ષ 2017 માં ડોકલામ અવરોધ બાદથી તે સૌથી મોટા સૈન્ય તૈનાતનું સ્વરૂપ લઈ શકે છે. ઉચ્ચ લશ્કરી સૂત્રો કહે છે કે ભારતે પેંગોંગ ત્સો અને ગલવાન ખીણમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. આ બે વિવાદિત વિસ્તારોમાં ચીની સેનાએ બે થી અઢી હજાર સૈનિકો તૈનાત કર્યા છે અને ધીમે ધીમે કામચલાઉ બાંધકામને મજબુત બનાવી રહ્યા છે.
સેનાના ઉત્તરી કમાનના પૂર્વ કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ ડી.એસ. હૂડ્ડા (નિવૃત્ત) એ કહ્યું હતું કે, આ ગંભીર બાબત છે. આ સામાન્ય ઉલ્લંઘન નથી. " લેફ્ટનન્ટ જનરલ હૂડ્ડાએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગાલવન ક્ષેત્ર પર બંને પક્ષો વચ્ચે કોઈ વિવાદ નથી. તેથી ચીન દ્વારા અતિક્રમણ અહીં ચિંતાનો વિષય છે. વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત અને ચીનમાં ભારતના રાજદૂત, અશોક કાંતે પણ લેફ્ટનન્ટ જનરલ હૂડ્ડા સાથે સંમતિ થયા હતા. તેમજ એમ કહ્યું હતું કે, “ચીની સૈન્યએ ઘણી વખત ઘુસણખોરી કરી છે. તે ચિંતાનો વિષય છે આ સામાન્ય અડચણ નથી. તે વ્યવસ્થિત કરી દેનારી બાબત છે. "