અમદાવાદમાં તંત્ર વ્હાલા દવલાની નીતિ અપનાવતું હોય તેમ લાગી રહ્યું છે. નેતાઓના ઘર પાસે મજબૂત રોડ બનાવ્યા છે. પરંતુ સામાન્ય જનતા માટે ખખડધજ રોડ બનાવ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવાસ સ્થાન નજીક રસ્તાઓ મજબૂત છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવાસ સ્થાન નજીક મજબૂત રસ્તા
સુરધારા સર્કલ પાસેના રસ્તાઓ પર ખરોચ પણ નહીં
30 ઇંચ કરતા વધુ વરસાદ છતાં રસ્તાઓને ખરોચ પણ નહીં
અમદાવાદમાં તંત્ર વ્હાલા દવલાની નીતિ અપનાવતું હોય તેમ લાગી રહ્યું છે. નેતાઓના ઘર પાસે મજબૂત રોડ બનાવ્યા છે. પરંતુ સામાન્ય જનતા માટે ખખડધજ રોડ બનાવ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવાસ સ્થાન નજીક રસ્તાઓ મજબૂત છે.
DYCM નીતિન પટેલના આવાસસ્થાને રોડ મજબૂત
સુરધારા સર્કલ પાસેના રસ્તાઓ પર ખરોચ પણ નહીં. 30 ઇંચ કરતા વધુ વરસાદ છતાં રસ્તાઓને ખરોચ પણ નહીં. નેતાઓના ઘર પાસે કોન્ટ્રાકટર ગુણવત્તા વાળા રસ્તા બનાવે છે. જ્યારે નીતિન પટેલના નિવાસ સ્થાનથી થોડી દુર રોડ ખખડધજ થઇ ગયો છે. અડધા કિલોમીટરમાં જ રસ્તાઓ પરથી કપચી ઉખડી ગઈ છે. ત્યારે સવાલ એ થાય કે નેતાઓના ઘર પાસે જ માત્ર મજબૂત રસ્તાઓ કેમ? કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ બચાવવા નેતા માટે બનાવે છે મજબૂત રોડ?. સામાન્ય જનતા માટે મોતના રોડ?