કોરોના વાયરસ કાળમાં ઉત્તર પ્રદેશની એક હોસ્પિટલની ઘોર બેદારકારી સામે આવી છે.
ઉત્તર પ્રદેશમાં હોસ્પિટલ દ્વારા ઘોર બેદરકારી
શબોની કરી નાંખી અદલાબદલી
આખરે દફન કરી દીધેલ શબને કાઢવામાં આવ્યો
ઘોર બેદરકારી
કોરોના વાયરસના કારણે પરિવારના સદસ્યની મોત થઈ ગઈ પરંતુ હોસ્પિટલે કોઈ બીજાનું શબ પકડાવી દીધું. આવી અમાનવીય હરકત ઉત્તર પ્રદેશના હોસ્પિટલની છે જ્યાં કોરોના વાયરસના કારણે મરી રહેલા દર્દીઓના પરિવારજનો સાથે અમાનવીય હરકતો કરવામાં આવી રહી છે. ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં હોસ્પિટલ તંત્રએ મોટી લાપરવાહી કરી અને બે શબની અદલાબદલી કરી નાંખી. મૃતકના સગા પવિત્ર કુમારે કહ્યું કે જ્યારે હોસ્પિટલમાં જ અમે તપાસ કરવામાં કહ્યું કે અમારે ઓળખાણ કરવી છે ત્યારે હોસ્પિટલ તરફથી ના પાડી દેવામાં આવી.
તંત્રએ કહ્યું જે આપ્યું છે તેના અંતિમ સંસ્કાર કરી દો
પરિવારજનોએ કહ્યું કે જ્યારે અમે લોકોએ અંતિમ વિધિ માટે લાકડીઓ લગાવી દીધી અને જોયું તો ખબર પડી કે તે ડેડબોડી તો અમારી હતી જ નહીં. જોતાં જ પરિવારજનોના હોશ ઊડી ગયા અને તે બાદ જ્યારે હોસ્પિટલને ફરિયાદ કરવામાં આવી તો તંત્રએ કહ્યું કે જે તમને આપ્યું છે તેનો જ અંતિમ સંસ્કાર કરી નાંખો.
હેમખેમ પરિવારોને પોતાના પરિવારજનના શબ મળ્યા
દફન કરી દીધેલ શબને કાઢવામાં આવ્યું
પરિવારજનોએ વધારે તપાસ કરી તો જાણ થઈ છે તેમના પરિવારજનનું શબ એક મુસ્લિમ વ્યક્તિના શબ સાથે બદલાઈ ગયું હતું. મુસ્લિમ પરિવારે તો મૃતદેહને પોતાનો સમજીને તેને દફન પણ કરી દીધું હતું. આ મામલે બાદમાં દફન કરી દેવામાં આવેલ મૃતદેહને કાઢવામાં આવ્યો અને બંને પરિવારને શબ આપવામાં આવ્યા. નોંધનીય છે કે હવે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
કોરોના વાયરસ કેસ અપડેટ :
ભારતમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 2 લાખ 95 હજાર 41 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 2023 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે જ ભારતમાં એક દિવસમાં 1,67,457 લોકોએ કોરોના વાયરસને હરાવ્યો પણ છે અને સાજા થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં 13 કરોડથી વધારે લોકોને કોરોના વાયરસની રસી આપી દેવામાં આવી છે.