સામાન્ય વર્ગને 10 ટકા રિઝર્વેશન મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ આ આરક્ષણ પર હાલ કોઇ રોક લગાવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સૌથી પહેલા અમે એ નક્કી કરીશું કે આ મામલાને સંવિધાન પીઠને મોકલવામાં આવે કે નહીં.
જે દિવસે કોર્ટ આ બાબતે પોતાનો નિર્ણય સંભળાવશે એ દિવસે કોર્ટએ નક્કી કરશે કે અંતરિમ આદેશ (અંતરિમ રોક)ને લઇને સુનાવણી ક્યારે શરૂ કરવામાં આવશે.
આ મામલે સુનાવણી બુધવારે પણ ચાલુ રહેશે. અરજીકર્તાએ આ મામલે સંવિધાન પીઠને મોકલવાની માંગ કરી છે. કેન્દ્ર સરકારે તેનો વિરોધ કર્યો અને કહ્યું કે મોટાભાગના બિંદુ સુપ્રીમ કોર્ટના નિર્ણયોમાં કવર થઇ ચૂક્યા છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અનામત આદર્શ રૂપે અવરસરની સમાનતા માટે છે. આર્થિક રૂપે કમજોર સામાન્ય વર્ગના ઉમેદવારોની નોકરીઓ અને એડમિશનમાં 10 ટકા અનામત આપવાનો કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારનાર અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી છે. ગત સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર સરકારના નિર્ણય પર રોક લગાવવાથી ઇનકાર કરી દીધો હતો.