જો આપણે રોજિંદા જીવનમાં કેટલીક હેલ્ધી વસ્તુઓનું સેવન કરીએ તો આપણું શરીર હેલ્ધી રહે છે અને કેટલાક રોગો પણ દૂર રહે છે. એવી જ બેસ્ટ અને હેલ્ધી વસ્તુ છે મુનક્કા અને મધ. આયુર્વેદમાં મુનક્કાને શરદી-ખાંસી અને કફ દૂર કરવાની સૌથી સારી દવા માનવામાં આવે છે. સાથે જ તે બોડીમાં હીમોગ્લોબિન પણ વધારે છે. મુનક્કા અને મધ બંનેમાં રહેલાં આયર્ન, કેલ્શિયમ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ ઘણી બીમારીઓના ઈલાજમાં મદદ કરે છે.
આ રીતે ખાઓ
આખી રાત 5 મુનક્કાને પાણીમાં પલાળી સવારે તેને 1 ચમચી મધમાં મિક્ષ કરીને ખાઓ. આ બંને વસ્તુઓ સાથે ખાવાથી અદભૂત ફાયદાઓ મળે છે.
મુનક્કા અને મધના ફાયદા
આનાથી બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રૂવ થાય છે. સ્કિન હેલ્ધી રહે છે. વાળ કાળા અને ભરાવદાર બને છે.
આનાથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે. આ કિડની અને લીવર પ્રોબ્લેમથી બચાવે છે.
આમાં પોટેશિયમ હોય છે. તેને રોજ ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે.
આમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. આ કેન્સરથી બચાવે છે.
આમાં બીટા કેરોટીન હોય છે. તેનાથી આંખો હેલ્ધી રહે છે. મોતિયાની પ્રોબ્લેમ થતી નથી.
આને ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે અને હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષમ મળે છે.
મુનક્કા અને મધ બંનેમાં ફાયબર્સ હોય છે. આનાથી ડાઈજેશન સારું રહે છે અને કબજિયાતમાં ફાયદો થાય છે.
મુનક્કા અને મધમાં આયર્ન હોય છે. આ શરીરમાં લોહીની કમીને દૂર કરવામાં મદદ કરે છે.
મુનક્કા અને મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તેને ખાવાથી પિંપલ્સ દૂર થાય છે.
મુનક્કા અને મધમાં કેલ્શિયલ હોય છે. તેનાથી હાડકાં મજબૂત થાય છે અને સાંધાઓના દુખાવામાં આરામ મળે છે.