ગત 24 કલાક દરમિયાન ગુજરાતમાં નોંધાયા છે 1122 નવા કેસ
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. ત્યારે અમદાવાદના વહીવટી તંત્ર દ્વારા શહેરમાં BRTS અને AMTS સેવાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય આગામી કોઇ સૂચના ન આવે ત્યાં સુધી અમલી રહેવાનું કહેવામાં આવ્યું છે.
આવતીકાલથી યુનિવર્સિટીની પરીક્ષાઓ
આપને જણાવી દઇએ કે, આવતીકાલે યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે ત્યારે હવે પરીક્ષાર્થીઓને પરિવહનમાં હાલાકી પડી શકે છે. તો આગામી 19 માર્ચથી ધોરણ 9થી 12ની પરીક્ષાઓ પણ શરૂ થઇ રહ્યા છે ત્યારે અચાનક આ રીતે AMTS અને BRTS બસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા તંત્રના અણઘટ વહીવટની પોલ ખુલી હતી.
કોરોનાના વધતા કેસને લઇને અમદાવાદ મનપાનો મોટો નિર્ણય
શહેરમાં તમામ જીમ, સ્પોર્ટસ ક્લબ રહેશે બંધ
ગેમિંગ ઝોન પણ બંધ રાખવા AMCએ હુકમ કર્યો
પ્રાઈવેટ અને સરકારી જીમ બંધ રાખવા નિર્ણય કર્યો
અચોક્કસ મુદ્દત સુધી જીમ, સ્પોર્ટ્સ કલબ બંધ રહેશે
રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં કરાયો ફેરફાર
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આજે રાતથી આગામી 31 માર્ચ સુધી ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ માં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.