ગૌણ સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ અને મુખ્ય સચિવની બેઠક બાદ એ.કે.રાકેશે કહ્યું નવી SOP મુજબ પરીક્ષાનું આયોજન થશે.
GSSSBના ઇન્ચાર્જ ચેરમેન એ.કે.રાકેશનું નિવેદન
13 ફેબ્રુઆરી પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવી
મંડળના કાર્યોને સમજવા સમયની જરૂર હતી
13 ફેબ્રુઆરી રવિવારે યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફની જાહેરાત બાદ સરકાર અને ગૌણ સેવા પસંદગી મંડળ સામે સોશિયલ મીડિયામાં બળાપો ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે બિન સચિવાલય કલાર્કની પરીક્ષા બાબતે હાલ મહત્વની બેઠક યોજવામાં આવી છે. એ.કે.રાકેશ અને પંકજ કુમાર પરીક્ષાના આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી છે તેવી માહિતી ખુદ એ.કે.રાકેશે પ્રેસ કોન્ફરન્સ કરી આપી છે. મોટી જાહેરાત કરતાં કહ્યું કે હવેની પરીક્ષા નવી SOP મુજબ લેવાશે. પરીક્ષાના સુચારું આયોજન માટે આ ભરતી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. તેમણે કહ્યું છે કે ભરતી પરીક્ષાનું ટ્રાન્સપોટેશન પ્રિન્ટિગ પ્રેસથી લઈ તમામ સુવિધાઓ પર હાલ સારામાં સારી રીતે કામ ચાલી રહ્યું છે, પારદર્શક પરીક્ષા લેવામાં આવશે જેથી ન્યાય તૈયારી કરતાં ઉમેદવારોને પૂરતો ન્યાય મળશે. આગામી 2 મહિનામાં ભરતી પરીક્ષાનું આયોજન થઈ જેશે તેવી જાણકારી પણ આપવામાં આવી છે.
શું પેપરલીક થવાના ડરથી પરીક્ષા મોકૂફ રખાઇ?
આ પ્રશ્નના સવાલ પર જવાબ આપતા ઇન્ચાર્જ અધ્યક્ષ એ કે રાકેશે કહ્યું કે હાલમાં પેપર લીક અંગે કોઇ બનાવ ધ્યાને આવ્યો નથી. ચેરમેન બદલાયા એટલે પરીક્ષાની તારીખ બદલવાની જરૂર પડી, અગાઉની પરીક્ષા પધ્ધતિથી હું વાકેફ ન હતો, 2 મહિનાની આસપાસ પરીક્ષા કાર્યવાહી પૂર્ણ કરી લેવાશે તેમજ પરીક્ષામાં પદ્ધતિમાં ફેરફાર કરવાનો હોવાથી આટલો સમય લાગશે
મંડળ દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં ગુપ્તતા જરૂરી છે: એ કે રાકેશ
અન્ય ભરતી સંસ્થાઓની પરીક્ષા SOPનો અભ્યાસ કરાશે
ટેક્નોલોજીનો ઉપયોગ વિશે વિચારણા થઈ રહી છેટ
પરીક્ષા કોઇ પણ ટ્રુટી વિના લેવાય તે હેતુથી નવી SOP બનાવાશે
નવી SOP પ્રમાણે પરીક્ષા લેવાશે
પેપર પ્રિન્ટિંગ, ટ્રાન્સપોર્ટેશન, સ્ટ્રોંગરૂમ અંગે નવા નિયમો
સ્ટ્રોંગ રૂમથી સેન્ટર સુધી પેપર પહોંચાડાવાની પદ્વતિ
પરીક્ષા ખંડમાં પેપર ખોલવા અંગે SOP કરાઇ
મંડળ દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં ગુપ્તતા જરૂરી છે
અન્ય ભરતી સંસ્થાઓની પરીક્ષા SOPનો અભ્યાસ કરાશે
ટેક્નોલોજીનો ઉપયોગ વિશે વિચારણા થઈ રહી છેટ
પરીક્ષા કોઇ પણ ત્રુટિ વિના લેવાય તે હેતુથી નવી SOP બનાવાશે
3 હજાર 901 જગ્યાઓ માટે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાનું ભાવિ અધ્ધરતાલ
13 ફેબ્રુઆરી રવિવારે યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. 9 ફેબ્રુઆરીના રોજ ગૌણ સેવા પંસદગી મંડળે પરીક્ષા મોકૂફીની જાહેરાત કરી હતી.3 વર્ષે પરીક્ષાનું આયોજન કરાયુ હતું.પરંતુ વહીવટી કારણોસર પરીક્ષા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે GSSSBના ચેરમેન ન હોવાના કારણે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આપને જણાવી દઈએ કે, કુલ 3 હજાર 901 જગ્યાઓ માટે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા.
વિપક્ષ અને વિદ્યાર્થી ઉમેદવારો કરી રહ્યા છે ભારે વિરોધ
પરીક્ષા મોકૂફના આ નિર્ણયની પરિક્ષાર્થીઓ તથા વિરોધપક્ષ ભારે ટીકા કરી રહ્યા છે. ત્યારે ફરીવાર મોકૂક રહેલ બિનસચિવાયલની પરિક્ષાઓને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સહિતાના લોકો પર આક્ષેપ કરતાં જણાવ્યુ કે, કે આ પરીક્ષાઓની તારીખ 4 વર્ષ પહેલાં નક્કી કરવામાં આવી હતી.. જેની તારીખો ત્રણ ત્રણ વખત બદલવામાં આવી છે. હવે ફરિવાર આ પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે ત્યારે આ પરિક્ષા પુરી ક્યારે થશે તેવા સવાલ ઉઠાવ્યા હતા. દરમિયાન તેમને સીઆર પાટીલ ઉપર પણ પ્રહાર કરી બિનસચિવાયલની પરીક્ષામાં સેટીંગ કરાઈ રહ્યાનો આરોપ લગાવ્યો હતો.