ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામન રાજને મોદી સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે ક્યાંક આ સંરક્ષણવાદમાં ન બદલાઈ જાય જેનું આપણને પહેલા સારુ પરિણામ નથી મળ્યું.
અભિયાનનું પરિણામ સંરક્ષણવાદના રુપમાં ન આવવું જોઈએ
પહેલા પણ આ પ્રકારની નીતિઓ અપનાવવામાં આવી પરંતુ ...
આ મેક ઈન ઈન્ડિયા પહેલના રિબ્રિડિંગ જેવું છે
રાજને કહ્યું કે સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનનું પરિણામ સંરક્ષણવાદના રુપમાં ન આવવું જોઈએ. તેમણે કહ્યું કે પહેલા પણ આ પ્રકારની નીતિઓ અપનાવવામાં આવી પરંતુ કોઈ વધારે ફાયદો દેખાયો નહોંતો.
રાજને કહ્યું કે તેમને હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આખરે સરકારના આત્મનિર્ભર ભારતનો મતલબ શું છે. જો આ ઉત્પાદન માટે એક પરિવેશ બનાવવા માટે છે તો આ મેક ઈન ઈન્ડિયા પહેલના રિબ્રિડિંગ જેવું છે.
તેમણે કહ્યું કે જો આ સંરક્ષણવાદને લઈને છે, જેમ કે દુર્ભાગ્યથી હાલમાં ટેરિફ વધારવામાં આવ્યો, તો મારી સમજથી આ રસ્તો અપનાવવાનો કોઈ મતલબ નથી. કેમ કે આપણે પહેલા આ પ્રયાસ કર્યો છે.’
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યાનુંસાર રઘુરામ રાજને કહ્યું કે,‘પહેલા પણ આપણી પાસે લાયસન્સ પરમિટ રાજ વ્યવસ્થા હતી. સંરક્ષણવાદની આ રીત સમસ્યા ઉભી કરનારી છે. જેણે કેટલીક કંપનીઓને સંમૃદ્ધ કરી જ્યારે તે અનેક લોકોની ગરીબીનું કારણ બની છે.
આર્થિક શોધ સંસ્થાન ICRIERના વેબિનારને સંબોધિત કરતા રાજને આ વાત કરી હતી. શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર રઘુરામ રાજને કહ્યું કે ભારતને વૈશ્વિત સ્તરે મૈન્યુપેક્ચરિંગ વ્યવસ્થાની જરુરિયાત છે અને આનો મતલબ છે કે દેશમાં વિનિર્માતાઓ માટે સસ્તી આયાત પહોંચ હોય. આ હકિકતમાં મજબૂત નિકાસ માટે આધાર બને છે.
તેમણે કહ્યું કે કુલ મળીને આપણે વૈશ્વિક આપૂર્તિ વ્યવસ્થાનો ભાગ બનવા માટે બુનિયાદી માળખા, લોજિસ્ટિક સમર્થન વગેરે તૈયાર કરવાની જરુર છે. પરંતુ આપણે ટેરિફ વાર શરુ ન કરવું જોઈએ. કેમ કે આપણે જાણીએ છીએ કે આનો કોઈ લાભ નથી.’