મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે સીબીઆઈ તપાસની માગ કરી છે.
પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારની મુશ્કેલી વધી શકે તેવું એક પગલું ઉઠાવ્યું છે. પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને અનિલ દેશમુખના ખોટા કામોની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની મોટી માગ ઉઠાવી શકે છે.
અનિલ દેશમુખ પોલીસ વિભાગની બદલીઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરતા હતા
પરમબીર સિંહે પોતાની અરજીમાં એવો આરોપ લગાવ્યો કે અનિલ દેશમુખ પોલીસ વિભાગની બદલીઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરતા હતા અને આ મુદ્દાને ઉઠાવનારી એક મહિલા કર્મચારીને હટાવી દેવાઈ હતી. તેમણે કહ્યું કે અનિલ દેશમુખ ઘણા કેસોની તપાસમા માથુ મારતા હતા અને પોતાની મરજી પ્રમાણેની તપાસ માટે આદેશ આપતા હતા. સિંહે કહ્યું કે દેશમુખની આ તમામ પાપલીલાની માહિતી વરિષ્ઠ નેતાઓ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને પણ આપી હતી અને આવું કહેવા બદલ મારી બદલી કરી નાખવામા આવી.
દેશમુખે તેમના ખોટા કામો છુપાવવા મને બલિનો બકરો બનાવ્યો-પરમબીર સિંહ
પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટની તેમની અરજીમાં હોમ ગાર્ડ ડિપાર્ટમેન્ટમાં પોતાની ટ્રાન્સફર રદ કરવાની પણ માગ કરી હતી. તેમણે કહ્યું કે હોમ ગાર્ડ ડિપાર્ટમેન્ટમાં મારી બદલીનો નિર્ણય ગેરકાયદેસર અને મનમાની છે તેથી તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. તેમણે કહ્યું કે પોતાના ખોટા કામો છુપાવવા મને બલિનો બકરો બનાવાયો છે. સિંહે તેમની અરજીમાં ઘણા આરોપોના પુરાવા પણ આપ્યાં છે.
સુપ્રીમ કોર્ટ પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરવા તૈયાર
સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી હોવાનું પણ કહેવાય છે. સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી સુપ્રીમ કોર્ટમાં તેમનો કેસ રજૂ કરશે. સુપ્રીમ આવતીકાલે આ કેસની સુનાવણી કરે તેવી સંભાવના છે.