આદિવાસી સર્ટી મુદ્દે ગાંધીનગરમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આદિવાસીઓની હકની લડાઇમાં પૂર્વ સાંસદ તુષાર ચૌધરી પણ જોડાયા છે. આંદોલનને લઇ તુષાર ચૌધરીએ કહ્યું કે અપાયેલા ખોટા સર્ટિફિકેટોને રદ કરવાની અમે માગ કરી છે. આદિવાસીના દીકરાને ન્યાય મળવો જોઇએ. અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉગ્ર આંદોલન ચાલું જ રાખીશું.