પૂર્વ સાંસદો જો નક્કી કરેલ સમય મર્યાદામાં સરકારી આવાસ ખાલી નહીં કરે તો વીજળી, પાણી અને ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે. લોકસભાની એક સમિતિએ આ આદેશ આપ્યો છે.
સમિતિએ પૂર્વ સાંસદોને ઘર ખાલી કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. જણાવી દઇએ કે, લોકસભાના એવા 200થી વધુ પૂર્વ સાંસદ છે, જેમણે અત્યાર સુધી સરકારી બંગલાઓ ખાલી નથી કર્યા.
સોમવારે બેઠકમાં નિર્ણય લેતા સમય સમિતિના અધ્યક્ષ સીઆર પાટિલે કહ્યું કે ત્રણ દિવસમાં પૂર્વ સાંસદોને સરકારી આવાસની વીજળી, પાણી અને ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે. પાટિલે મીડિયાને જણાવ્યું હતું કે આવાસ સમિતિના આજે થયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ત્રણ દિવસોની અંદર તેવા બંગલાઓની વીજળી, પાણી અને ગેસ કનેક્શનો કાપી નાખવામાં આવશે અને પૂર્વ સાંસદોથી એક સપ્તાહની અંદર આવાસો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, કોઇ પણ પૂર્વ સાંસદે એવું નથી કહ્યું કે તેઓ પોતાના બંગલા ખાલી નહીં કરે. નિયમો અનુસાર, પૂર્વ સાંસદોને ગત લોકસભા ભંગ થવાના એક મહિનાની અંદર પોત-પોતાના બંગલાઓ ખાલી કરવાના હોય છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્રીય મંત્રિમંડળની ભલામણ પર 16મી લોકસભાને 25 મેએ તાત્કાલિક અસરથી ભંગ કરી દીધી હતી.
એક સૂત્રએ જણાવ્યું કે, લોકસભાના 200થી વધુ પૂર્વ સાંસદોએ અત્યાર સુધી પોતાના સરકારી બંગલાઓને ખાલી નથી કર્યા. આ પૂર્વ સાંસદોને વર્ષ 2014માં આ બંગલાઓ આપવામાં આવ્યા હતા. જેના કારણે નવા નિમાયેલા સાંસદો અસ્થાયી આવાસોમાં નિવાસ કરી રહ્યા છે.
સંસદ ભવનને મળશે નવું રૂપ
નોર્થ એવન્યૂ ડુપ્લેક્સ ફ્લેટ્સનું ઉદ્ધાટન કરતા સોમવારે પીએમ મોદીએ કહ્યું કે, લાંબા સમયથી સાંસદ માટે નવુ ભવન અથવા વર્તમાન ભવનને નવું સ્વરૂપ આપવાની માંગ ઉપરાષ્ટ્રપતિ, લોકસભા સ્પીકર અને તમામ સાંસદો તરફથી કરવામાં આવી ચૂકી છે. પીએમ મોદીએ કહ્યું કે, લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિએ કહ્યું કે, જ્યારે દેશ 2022માં આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવશે, ત્યારે સંસદ ભવનનું સ્વરૂપણ પણ બદલી જશે.