મહેસાણા: મહેસાણાના પૂર્વ ધારાસભ્ય પૂર્વમંત્રી અનિલભાઇ પટેલનું 73 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ગુજરાત સરકારમાં ઉદ્યોગમંત્રી રહી ચૂક્યા હતા. આ ઉપરાંત તેઓ ગણપત યૂનિવર્સિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. બપોરે ખેરવા કેમ્પસથી તેમની અંતિમયાત્રા થશે બાદમાં અંતિમ સંસ્કાર થશે.
ઉલ્લેખનીય છે કે અનિલ પટેલ છેલ્લા દોઢ વર્ષથી કેન્સરથી પીડાતા હતા. જેઓની સારવાર ચાલતી હતી. અપોલો ઝાયડસ અને અમેરિકામાં સારવાર ચાલતી હતી. ત્યારે આજે વહેલી લારે તેમનું નિધન થતાં મહેસાણામાં શોકની લાગણી પ્રર્વતી હતી.
અનિલભાઇનો જન્મ પાટણના લણવા ગામે 8મી માર્ચે 1944ના રોજ થયો હતો. તેમના પિતાએ ઢોર ચોર મામલે અવાજ ઊઠાવવાના લીધે હત્યા થઇ હતી. પ્રાથમિક શિક્ષમ લણવા ગામે મેળવ્યું હતું જ્યાપે માધ્યમિક શિક્ષણ કડી સર્વ વિદ્યાલય ખાતેથી પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ એન્જિનિયરિંગનો અભ્યાસ વલ્લભવિદ્યાનગરમાં કર્યો અને માસ્ટર એમટેક કરવા અમેરિકા ગયા હતા.