જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલ પોતાની પત્ની સાથે લંડન જવાની ફિરાકમાં હતા. ત્યારે મુંબઇ એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓએ તેમને રોકી લીધા અને બન્નેની ધરપકડ કરી લીધી છે. નરેશ ગોયલ અને તેમની પત્નીને દેશ છોડતા પહેલા રોકી દેવાયાછે. નરેશ ગોયલ વિરૂદ્ધ લુકઆઉટ સર્કુલર જાહેર કરવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર નરેશ ગોયલ અને અનીતા ગોયલ એમિરેટ્સ ફ્લાઇટથી લંડન જઇ રહ્યા હતા. આ બન્ને ફ્લાઇટમાં બેસી ગયા હતા, તેમનું વિમાન ટેક ઓફ માટે તૈયાર હતું, ત્યારે આ ફ્લાઇટને રોકી દેવામાં આવી અને તેમની ધરપકડ કરવામાં આવી.
જેટ એરવેઝ સંકટ મામલે બે તપાસ એજન્સીઓ નરેશ ગોયલની ભૂમિકાની તપાસ કરી રહી છે. આ એજન્સીઓ છે સીરિયર ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ(SFIO) અને પ્રવર્તન નિર્દેશાલય(ED). હાલમાં જેટ એરવેઝમાં સેલરી સંકટ ઉભુ થયું છે. ત્યાર બાદ આ કંપનીની ઉડાન બંધ કરી દેવામાં આવી છે અને કંપનીના કેટલાક ટોપ અધિકારીઓ રાજીનામા આપી ચૂક્યા છે.