ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પગપેસારો કર્યા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દેશના 56 પૂર્વ આઇએએસ અધિકારીઓએ હવે ચૂંટણી પંચને એક પત્ર લખી આમ આદમી પાર્ટીની માન્યતા સમાપ્ત કરવા માંગ કરી છે. જેમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સરકારી કર્મચારીઓને રાજકીય ભાગીદારી માટે સતત ઉશ્કેરી રહ્યા છે, તેઓને આમ આદમી પાર્ટીમાં જોડાવા અને મતદાન કરવા અને પ્રચાર કરવા માટે કહી રહ્યા હોવાનો આધાર લઈ આ માંગ કરી છે.
કર્ણાટકના ભૂતપૂર્વ અધિક મુખ્ય સચિવ એમ. મદન ગોપાલના નેતૃત્વમાં પત્ર લખનારા ભૂતપૂર્વ IAS અધિકારીઓએ કહ્યું છે કે, અમે માનીએ છીએ કે રાજ્યમાં કામ કરતા સરકારી અધિકારીઓ અથવા કર્મચારીઓ કોઈપણ પક્ષમાં જોડાઈ શકતા નથી, ન તો તેઓ તેમના રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે. પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સરકારી નોકરોના લોકોને રાજકીય ભાગીદારી માટે સતત ઉશ્કેરી રહ્યા છે, તેઓને આમ આદમી પાર્ટીમાં જોડાવા અને મતદાન કરવા અને પ્રચાર કરવા માટે કહી રહ્યા છે. 3 સપ્ટેમ્બરના રોજ, ગુજરાતના રાજકોટમાં, તેમણે આવા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા, જેના પર અમે બધા સખત વિરોધ નોંધાવીએ છીએ.
શું કહ્યું ભૂતપૂર્વ અધિકારીએ ?
ભૂતપૂર્વ અધિકારીઓએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે, અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં કામ કરતા વિવિધ વિભાગોના કર્મચારીઓને રાજકીય પક્ષ બનાવવામાં વ્યસ્ત છે. ભૂતકાળમાં, તેમણે બૂથ કાર્યકરોને કહ્યું હતું કે, બૂથ સ્તર પર જાઓ અને લોકોને AAPને મત આપવા અપીલ કરો. એ જ રીતે, તેમણે બસ કંડક્ટરોને કહ્યું કે, તેઓ બસમાં મુસાફરી કરતા મુસાફરોને આમ આદમી પાર્ટીને મત આપવા માટે સાવરણી પરનું બટન દબાવવા કહે. તો પોલીસકર્મીઓ અને હોમગાર્ડ જવાનોને પણ પક્ષના સમર્થન માટે અપીલ કરતાં જણાવ્યું હતું કે, પોલીસકર્મીઓ રાજ્ય સરકારના આદેશનું પાલન ન કરે, બે મહિના પછી તેમની સરકાર બનવા જઈ રહી છે.
56 retired bureaucrats submit letter to ECI on Arvind Kejriwal pc in Rajkot, Gujarat
Statement made by (Delhi CM) Kejriwal in press conference in Rajkot almost 20 days back, disturbed a lot of people who believed in constitution: M Madan Gopal, ex Addl Chief Secy of Karnataka pic.twitter.com/emJk5gI8P0
નિવૃત્ત અમલદારોએ ચૂંટણી પંચને અપીલ કરી છે કે, તેઓ લોકપ્રતિનિધિત્વ અધિનિયમના ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968ના 16A હેઠળ આમ આદમી પાર્ટીની માન્યતા પાછી ખેંચી લે. પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, AAPએ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. તે સતત ચૂંટણીને પ્રભાવિત કરી રહ્યા છે અને ખોટી પ્રથાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે.
Officers who firmly believe in rule of law & provisions of constitution of India, about 56 retired bureaucrats have given complaint to election commission. Such violations need to be stopped before they become a trend: M Madan Gopal, Karnataka ex Addl Chief Secy pic.twitter.com/59QQ1cs7WM