સર્વોચ્ચ અદાલતે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈને યથાવત રાખી છે.
SCનો EWS એ લઈને મહત્વનો ચુકાદો
10 ટકા અનામતની જોગવાઈને યથાવત
સર્વોચ્ચ અદાલતે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈને યથાવત રાખી છે. 5 જજની બેન્ચમાંથી ચાર જજોએ બંધારણના 103મા સુધારા અધિનિયમ 2019ને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટમાં તેને મોદી સરકારની મોટી જીત માનવામાં આવી રહી છે.
10 ટકા અનામતની જોગવાઈ માન્ય
હકીકતમાં, કેન્દ્ર સરકારે બંધારણમાં સુધારો કરીને સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈ કરી હતી. અનામતની જોગવાઈ કરતા 103મા બંધારણીય સુધારાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 5 જજોની બેન્ચમાં ત્રણ જજોએ EWS અનામતની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
#UPDATE | CJI UU Lalit concurs with Justice Ravindra Bhat, the decision stands at 3:2.
Majority bench - Justices Dinesh Maheshwari, Bela Trivedi and JB Pardiwala uphold the #EWS amendment.
આ ત્રણ ન્યાયાધીશોએ સમર્થનમાં ચુકાદો આપ્યો,
જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ EWS અનામતના નિર્ણયને માન્ય રાખ્યો. જસ્ટિસ દિનેશ મહેશ્વરીએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે મોટો પ્રશ્ન એ છે કે શું EWS અનામત બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. શું SC/ST/OBC ને તેનાથી દૂર રાખવા એ મૂળભૂત ભાવનાની વિરુદ્ધ છે? તેમણે કહ્યું કે EWS ક્વોટા બંધારણનું ઉલ્લંઘન કરતું નથી. EWS આરક્ષણ સાચું છે. તે બંધારણની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કરતું નથી. તે ભારતના બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતું નથી. જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું કે, હું જસ્ટિસ દિનેશ મહેશ્વરીના અભિપ્રાય સાથે સહમત છું.