ખરેખર ઘણીવાર ઘણા વેલ લિટરેડ પિપલ તરીકે ઓળખાવતા હાઈ સોસાયટીના લોકોની માનસિકતાની એક એવી કાળી બાજુ ઉજાગર થઈ જતી હોય છે કે આમને વેલલિટરેડ કહેવા કે પથી સામાજિક રીતે પછાત કહેવા? આવી જ ઘટના સોલામાં સાયન્સ સિટી વિસ્તારમાં ઘટી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના પોતાના વિસ્તારમાં ન બાંધવા દેવા માટે માલેતૂજાર લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે.
સાયન્સ સીટી વિસ્તારમાં EWS મકાન ન બનાવવા વિરોધ
માલેતુજાર સ્થાનિકો કરી રહ્યા છે વિરોધ
સાયન્સ સીટી વિસ્તારમાં 10 સોસાયટીએ રેલી કાઢી
ગરીબ લોકોને પોતાનું મકાન મળે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે આ યોજનાથી બનાવવામાં આવતા મકાનનો અમીર લોકોએ વિરોધ કર્યો છે. સાયન્સ સિટી વિસ્તારના રહીશોએ પૈસાની આડમાં માનવતાને ભૂલતા જોવા મળ્યા. સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી ધનાઢ્ય સોસાયટીમાં રહેતા લોકોએ પ્રધાનમંત્રી આવાસ યોજના ન બનાવવાને લઈને વિરોધ કર્યો. 10 જેટલી સોસાયટીના રહીશોએ EWS ( Economically Weaker Section )મકાન ન બને તે માટે રેલી કાઢીને વિરોધ કર્યો. વિરોધ કરીને ગરીબોને અન્ય જગ્યા પર મકાન આપવાની રહીશોએ માંગ કરી રહ્યા છે.
અમદાવાદના સોલામાં સ્થાનિક લોકોએ EWS પ્લોટના સ્થળને લઈને વિરોધ નોંધાવ્યો. અનામત રખાયેલી જગ્યા બદલાતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો . TP40માં નક્કી થયેલી વાત ફેરવી દેવામાં આવતી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. સરકારે TP40માં હેતુફેર કરી નાખ્યોનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે. રાજકીય દબાણોથી જગ્યા બદલી દેવાઈ હોવાનુ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. કોમર્શિયલ હેતુ માટે આ ફેરફાર કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પ્લોટની અદલા બદલીને કારણે હાલતો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે.