લોકતંત્રનો મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી નજીક આવતા જ દેશમાં એક તરફ જ્યાં રાજાકરણ પારો ગરમ થઇ ગયો છે ત્યારે ચૂંટણી આયોગ પણ પૂરી રીતે તૈયારીમાં છે. વાસ્તવમાં ચૂંટણી આયોગ માટે પણ આ લોકસભા ચૂંટણીને કરાવવી કોઇ પડકારથી ઓછી નથી. દેશમાં ચાલી રહેલા રાજકારણ માહોલ ની વચ્ચે જે સ્થિતિ છે એમાં ચૂંટણી આયોગ માટે સૌથી મોટો પડકાર છે EVM ની વિશ્વસનીયતાને યથાવત રાખવી.
વાસ્તવમાં હાલ EVM વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊઠાવાય છે એના કારણે ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્ન ઊભા થાય છે. પરંતુ આ પડકા સામે નિપટવા માટે આયોગે કડક તૈયારી કરી છે. એના માટે આયોગે વીવીપેટ મશીનને તમામ ઇવીએમ મશીનથી જોડડ્યું છે. એવામાં આ મશીન દ્વારા આવનારી ચૂંટણીમાં હવે ગરેક મતદાતા પોતાનો વોટ નાંખ્યા બાદ એવું ચેક કરી શકે છે કે એનો વોટ કોને ગયો.
ખાસ વાત એ છે કે મતદાતાને પોતાનો વોટ કયાં ગયો એ જાણવા માટે 7 સેકન્ડનો સમય પણ મળશે. એટલે કે વોટ નાંખતા જ એ પછીની 7 સેકન્ડ સુધી જોઇ શકશે કે એનો વોટ કઇ પાર્ટીને ગયો. વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેલ મશીનમાં સાત સેકન્ડ સુધી એવું જોવા મળશે કે મતદાતાનો વોટ ક્યાં ગયો છે.
એમાં એક ચિટ જોવા મળશે જેમાં ઉમેદવારનું નામ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન હશે. આ ચિટ તમને પૂરી પાડવામાં આવશે નહીં પરંતુ સાત સેકન્ડ સુધી તમે એમાં જોઇ શકો છો ત્યારબાદ આ ડ્રોપ બોક્સમાં પડી જશે. આટલું જ નહીં જ્યારે મતદાન બાદ વોટોની ગણતરી થશે તો આ ચિટને પણ એ દરમિયાન ઇવીએમ મશીન સાથે મેચ કરવામાં આવશે. જેનાથી કોઇ પણ પ્રકારની શંકા પેદા થાય નહીં.
આ પૂરી પ્રક્રિયાને લોકોને સમજાવવા માટે ચૂંટણી આયોગે પોતાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે.