મુંબઇ: ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહેલી એમની સહયોગી પાર્ટી શિવસેનાએ આજે BJP પર ચૂંટણી જીતવા માટે EVMમાં હેરાફેરી કરવાનો આરોપલ લગાવ્યો અને જાવો કર્યો કે મતદાનના વર્તમાન રીતથી લોકોનો ભરોસો ઊઠી રહ્યો છે. શિવસેનાએ કહ્યું કે બેંગ્લોરમાં નકલી મતદાતા ઓળખપત્ર મળવું એવું દર્શાવે છે કે કર્ણાટકમાં ચૂંટણી પ્રક્રિયાનું સ્તર કઇ હદ સુધી પહોંચી ગયું છે. કર્ણાટકમાં કાલે ચૂંટણી થનાર છે જેના પરિણામ 15 મે ના રોજ જાહેર થવાના છે. પાર્ટીએ પોતાના મુખ પત્ર સામનામાં કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની વાત કરે છે. ભલે કોંગ્રેસ ખતમ થવા જઇ રહી હોય પરંતુ કોંગ્રેસના વિચાર મર્યા નથી.
શિવસેનાએ કહ્યું કર્ણાટક ચૂંટણી પહેલા બેંગ્લોરના એક મકાનથી 10 000 નકલી મતદાત ઓળખપત્ર મળ્યા. કોંગ્રેસે ભાજપને આ મુદ્દા પર ઘેર્યું. પાર્ટીએ આરોપ લગાવ્યો કે ચૂંટણીમાં મોટા પ્રમાણમાં રૂપિયાનો ઉપયોગ થઇ રહ્યો છે. ભાજપને આ રકમ ક્યાંથી મળે છે એ કોઇનાથી છુપાયેલું નથી.
પાર્ટીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણીમાં ભાજપ પર એમની પાર્ટીના જાહેરાતપત્રની નકલ કરવાનો આરોપ લગાવ્યો હતો.