ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ટોચના મહામારી નિષ્ણાંત ડોક્ટર જયપ્રકાશ મુલિયિલે એવું જણાવ્યું કે દરેક વ્યક્તિમાં વહેલો કે મોડો ઓમિક્રોન આવશે.
ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ટોચના મહામારી નિષ્ણાંતનો દાવો
વહેલો મોડો ઓમિક્રોન દરેકમાં આવશે
ઓમિક્રોનનો સાચો આંકડો બહાર આવ્યો નથી
ઓમિક્રોન હળવો પણ વહેલા મોડા દરેકમાં આવશે
ટોચના મહામારી નિષ્ણાંત ડોક્ટર જયપ્રકાશ મુલિયિલે ઓમિક્રોનને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓમિક્રોનને તો અટકાવી નહીં શકાય વહેલા કે મોડો આ વાયરસ દરેક વ્યક્તિમાં આવશે. તેમણે એવો દાવો કર્યો કે ઓમિક્રોનનો સાચો આંકડો તો હજુ બહાર આવ્યો નથી. તે હાલના આંકડા કરતા 90 ગણો વધારે હોઈ શકે.
કોવિડ હવે ભયજનક રોગ રહ્યો નથી. ઓમિક્રોન હળવો
ડો્કટર જયપ્રકાશે જણાવ્યું કે કોવિડ હવે ભયજનક રોગ રહ્યો નથી. ઓમિક્રોન હળવો છે અને તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરુર નથી. આ એવી બીમારી છે જેને આપણે પહોંચી વળીએ છીએ. ઓમિક્રોન ડેલ્ટા કરતા પણ હળવો છે. પરંતુ વ્યવહારુ રીતે વાત કરીએ તો ઓમિક્રોનને અટકાવી નહીં શકાય કારણ કે તેની સંક્રમકતા ઘણી છે. આપણે ઓમિક્રોનથી સંક્રમિત થયા હોઈએ તો પણ ઘણા કિસ્સામા તેની ખબર પડતી નથી.
દેશમાં હવે કોરોનાની ત્રીજી લહેર ઘાતક બની
દેશમાં હવે કોરોનાની ત્રીજી લહેર ઘાતક બની છે અને હવે લોકડાઉન જેવા કડક પગલાંની જરુર છે તેવું લાગી રહ્યું છે ત્યારે હવે પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે એવું જણાવ્યું કે લોકડાઉનની અસર તો પડે છે પરંતુ હાલની સ્થિતિની સમજવી જરુરી છે. સૂત્ર મોડલથી કોરોનાની પીકનું અનુમાન કરનાર પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરનું પીક મુંબઈ અને દિલ્હીમાં જાન્યુઆરીની મધ્યમાં આવી શકે છે. દેશભરમાં આગામી મહિનાની શરુરઆતમાં પીક આવી શકે છે.
લોકડાઉન લગાડાય કે નહીં
મણિન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે પહેલી લહેરમાં કડક લોકડાઉનને કારણે સંક્રમણની ગતિ અટકી ગઈ હતી. બીજી લહેર દરમિયાન પણ અલગ અલગ રાજ્યોએ અલગ અલગ રણનીતિઓ અપનાવી હતી. જે રાજ્યો હળવું લોકડાઉન લગાડ્યું હતું ત્યાં સંક્રમણ ફેલાતું અટકી ગયું હતું. એટલે એક રીતે જોઈએ તો લોકડાઉન હેલ્પ કરે છે. તેમણે કહ્યું કે ત્રીજી લહેરને જોતા દેશમાં લોકડાઉન એક આદર્શ વિકલ્પ હોઈ શકે. તેમણે કહ્યું કે કડક લોકડાઉન મદદ તો કરે છે પરંતુ મોટી સંખ્યામાં લોકોની રોજગારી પર અસર પડે છે. તેમણે કહ્યું કે શહેરોમાં લોકડાઉનની કોઈ જરુર નથી. તમિલનાડુએ લોકડાઉન લગાડ્યું છે.