ટ્રેનમાં યાત્રા કરનાર યાત્રીઓને નિયમોની જાણકારી હોય તો યાત્રા દરમિયાન થતી કેટલીક સમસ્યાઓથી બચી શકાય છે, ખાસ કરીને ટિકિટ ચેકિંગ અને બુકિંગને લઈને યાત્રીઓને ઘણી તકલીફ થતી હોય છે. શું તમે જાણો છો કે રેલ્વે પ્લેટફોર્મ અને ટ્રેનમાં ટિકિટ ચેક કરવાનો અધિકાર માત્ર ટીટીઈને હોઈ છે, પરંતુ રેલ્વે સ્ટેશન પર ઘણીવાર RPF અને GRPના જવાન પણ યાત્રીઓની ટિકિટની ચેકિંગ કરે છે. જે નિયમો વિરૂદ્ધ છે. જેથી જરૂરી છે કે ટ્રેનમાં મુસાફરી કરો તે પહેલાં આ નિયમો જાણી લેવા જોઈએ.
ટ્રેનની અંદર અને બહાર ટિકિટ ચેક કરવાનો અધિકાર માત્ર ટીટીઈને અને મોબાઇલ સ્ક્વોડને હોય છે. જો RPF, GRP જવાન અથવા અન્ય સ્ટાફ આવું કરે તો આ નિયમની અવગણના કરવામાં આવે છે.
જોકે, સર્ચ ઓપરેશન દરમિયાન ટીટીઇ અથવા મોબાઇલ સ્કવોડના અધિકારીઓ આરપીએફ અને જીઆરપી જવાનોની મદદ લઈ શકે છે પરંતુ સામાન્ય કેસમાં તેમને ટિકિટ તપાસવાનો અધિકાર નથી.
જો કન્ફર્મ ટિકિટનો પેસેન્જર બોર્ડિંગ સ્ટેશન પર ન પહોંચે, તો ટીટીઈ તરત સીટને બીજા કોઈ પેસેન્જરને એલોટ ન કરી શકે. તેને બે સ્ટેશન સુધી અથવા તો 1 કલાક સુધી પેસેન્જરની રાહ જોવી પડશે. ઘણીવાર પેસેન્જર બોર્ડિંગ સ્ટેશનથી આગળ ટ્રેન પકડે છે.
જે પેસેન્જરનું મિડલ બર્થ કન્ફર્મ થયું છે તે નિયમ પ્રમાણે રાતના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જ ઊંઘી શકે છે. તે પહેલાં કે તે પછી તેણે સીટ નીચે કરવી પડશે અને લોઅર બર્થ પર બેસીને યાત્રા કરવી પડશે.
જો તમારી ટિકિટ ખોવાઈ ગઈ છે તો, યાત્રા કરવાના 24 કલાક પહેલાં બોર્ડિંગ સ્ટેશનના મુખ્ય આરક્ષણ સુપરવાઈઝર પાસે જઈને ડુપ્લિકેટ ટિકિટ માટે વિનંતી કરી શકો છો. જેથી તમને ડુપ્લિકેટ ટિકિટ આપવામાં આવશે.
TTE રાત્રે 10 વાગ્યા પછી તમને ડિસ્ટર્બ કરી શકે નહીં. ટિકિટ તપાસવાનો સમય સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધીનો હોય છે.