જો તમે શ્વાન, બિલાડી અથવા અન્ય જીવ પાળ્યુ છે, તો પછી તેની જવાબદારી લેવી જોઈએ. કારણકે પ્રાણીઓ પણ મનુષ્યની જેમ ખૂબ સંવેદનશીલ હોય છે. સૌથી મોટી વાત એ છે કે જો તેમને કોઈ પરેશાની થાય છે તો તેઓ પોતાની પરેશાની પણ જણાવી શકતા નથી.
ઘરમાં પ્રાણી પાળ્યું છે તો પછી તેની જવાબદારી લો
પ્રાણીઓ તેની પરેશાની કોઈને કહી શકતા નથી
પાલતુ પ્રાણીઓની સંભાળ માટે આ બાબતોનુ રાખો ધ્યાન
પાલતુ પ્રાણીઓની સંભાળ માટે રાખો આ વાતોનો ખાસ ખ્યાલ
સૌથી મોટી વાત એ છે કે જો તેમને કોઈ પરેશાની થાય છે તો તેઓ પોતાની પરેશાની પણ જણાવી શકતા નથી. એવામાં તમે પાલતુ પ્રાણીઓ સાથે સમય વિતાવીને તેના વિશે જાણી શકશો. એવામાં તેની સંભાળ માટે તમારે અમુક બેસિક વાતોનો ખ્યાલ રાખવો જોઈએ.
પાલતુ પ્રાણીઓનો ખાવા-પીવાનો રાખો ખ્યાલ
જો તમે ઘરમાં શ્વાન, બિલાડી અથવા પછી કોઈ અન્ય જીવને પાળ્યો છે, તો તમારે કોઈ બાળકની જેમ જ તેના ખાવા-પીવાનો પણ ખ્યાલ રાખવો પડશે. સ્વાભાવિક વાત છે કે આ જીવ તમને જાતે તો કહેશે નહીં કે તેમને ભૂખ લાગી છે. તમે તેની અમુક એક્ટિવિટીને નોટીસ કરીને અંદાજ લગાવી શકો છો કે તેને ભૂખ લાગી છે, પરંતુ પ્રયાસ કરો કે ગરમીની સિઝનમાં ઓછામાં ઓછા બે વખત અને શિયાળાની સિઝનમાં ત્રણ વખત તેને ખાવાનુ ખવડાવશો.
સાફ-સફાઈનુ પણ ધ્યાન રાખો
તેની સાફ-સફાઈનુ પણ ધ્યાન રાખો. તમારે પોતાના પેટ્સને અઠવાડિયામાં એક વખત તો નવડાવવા જોઈએ. યાદ રાખો કે નવડાવવા માટે સ્પેશિયલ સાબુ અથવા શેમ્પુ માર્કેટમાં સરળતાથી મળી જશે.
ફરાવવા લઇ જાવો
પેટ્સને ફરાવવા પણ ખૂબ જરૂરી છે. બહારની ફ્રેશ હવા લેવાથી અને બહાર ફરાવવાથી પેટ્સનુ વર્તન સારું થાય છે. એટલેકે પ્રાણીઓને ગુસ્સો આવતો નથી. જો તમે હંમેશા પેટ્સને બાંધીને રાખો છો તો તેનાથી પેટ્સમાં ગુસ્સો વધી શકે છે.