આપણા શાસ્ત્રોમાં હાથની રેખાઓ મુજબ જ્યોતિષો આપણી ઉમર બતાવતા હોય છે અમુક લોકો તેને અંધશ્રદ્ધા માનતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે આ મણિબંધ રેખા દરેકના કાંડા પર હોય છે અને આ હસ્તરેખા પરથી વ્યક્તિની ઉંમર કેટલી હશે તેની જાણકારી મળે છે.
દરેક વ્યક્તિના કાંડા પર અલગ અલગ પ્રકારની રેખાઓ હોય છે. જેના પરથી જ્યોતિષો તેનું કિસ્મત વાંચતા હોય છે અને ભવિષ્ય વિશે જણાવે છે. તો ચાલો જાણીએ કાંડા પરની રેખાઓ વિશેની થોડી જાણકારી.
શસ્ત્રો મુજબ અને જ્યોતિષોના જણાવ્યા પ્રમાણે જેમના કાંડા પર આવી ચાર રેખાઓ હોય તેઓનું આયુષ્ય લાંબુ હોય છે. તેમને શતાયુ પણ કહેવાય છે. જેમના કાંડા પર ત્રણ રેખાઓ હોય તેઓ 70થી 75 વર્ષનું આયુષ્ય ભોગવે છે.
કાંડા પર બે જ રેખાઓ હોય તો તેઓનું આયુષ્ય 50થી 55 વર્ષનું હોય છે. આવી જ રીતે જેમના કાંડા પર એક જ રેખા હોય છે તેમને અનેક ઘાતનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત જેમના કાંડા પર તુટક તુટક રેખાઓ હોય તેમના જીવનમાં અનેક બાધાઓ આવે છે.
જ્યારે એક રેખાથી બીજી રેખા કપાતી હોય તો તેમનું ભાગ્ય તેમને સાથ નથી આપતું. પરંતુ જો કાંડાની રેખા હથેળી તરફ જતી હોય તો સમજી જવું કે તે વ્યક્તિની કોઈપણ ઈચ્છા પૂર્ણ થતાં સમય નહીં લાગે.