પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકારની સત્તામાં એક વખત ફરી વાપસી થઇ છે. આ ઐતિહાસિક સફળતા માં મોદી સરકારની પ્રધાનમંત્રી ઉજ્જલા યોજનાએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ મોદી સરકારની સફળ યોજનામાંથી એક છે, જેની હેઠળ અત્યાર સુધી 7 કરોડ મફત LPG ક્નેક્શન આપવામાં આવ્યા છે. આ યોજનામાં ગરીબ પરિવારમાંથી એક નવી સુવિધા મળશે.
એક રિપોર્ટ અનુસાર, મોદી સરકાર હવે બીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને વિસ્તાર આપશે. નવી સરકારમાં 5 કિલોગ્રામ ગેસ સિલેન્ડરની આપૂર્તિ અને તેના ઉપયોગ વધારવાની આશા છે. એવામાં આ ફાયદો એવા ગરીબ પરિવારનો મળશે જેઓ પોતાની આર્થિક સ્થિતિને કારણે ઉજ્જવલા સ્કીમ હેઠળ સિલેન્ડર ફરી નથી ભરાવી શકતા.
આ નવી સુવિધાના સંકેત આપતા સાર્વજનિક ક્ષેત્રની એક ઑઇલ માર્કેટિંગ કંપનીના અધિકારીએ જણાવ્યુ કે, ''ઉજ્જવલા હેઠળ LPG સિલેન્ડર વર્ષમાં સરેરાશ 3 વખત જ ભરાવવામાં આવ્યા જ્યારે રાષ્ટ્રીય સરેરાશ લગભગ 7ની છે. આ માટેનું સૌથી મોટુ કારણે સિલેન્ડરની કિંમત છે જે રિફિલિગ વખતે મફત નથી.'' અધિકારીએ આશા સાથે કહ્યુ કે, ''5 કિલો સિલેન્ડરના ઉપયોગથી સ્થિતિ બદલાઇ શકે છે.''
તમને જણાવી દઇએ કે, મોદી સરકારની ઉજ્જવલા યોજના હેઠળ 8 કિલો ગેસ કનેક્શન વહેચવાનો લક્ષ્ય હતો. અત્યાર સુધી 7 કરોડ 19 લાખ કનેક્શન આપવામાં આવી ચૂક્યા છે. એટલે કે, 30 મે પછી 100 દિવસની અંદર વધુ 81 લાખ ગેસ કનેક્શન વહેંચવામાં આવશે. એક વખત આ લક્ષ્યાંક પૂરો થઈ ગયા પછી આ યોજના હેઠળ 5 કિલોગ્રામના નાનાં સિલિન્ડરનો ઉપયોગ ફરજિયાત કરી દેવાનું અનુમાન છે. જેથી દેશભરમાં તેની ઉપલબ્ધતાની ખાતરી થઈ શકે અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) રીફિલ્સને પ્રોત્સાહન મળી શકે.
ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને LPG કનેક્શન:
આ યોજના હેઠળ સરકાર પ્રતિ જોડાણ 1600 રૂપિયાની સહાય કરે છે. આ હેઠળ સમાજ-આર્થિક જાતિ ગણતરી એટલે કે સોશિયો-ઈકોનોમિક એન્ડ કાસ્ટ સેન્સસ (SECC) હેઠળ BPL પરિવાર સાથે અનુસૂચિત જાતિ/જનજાતિ, આજીવન અન્ન યોજનાના લાભાર્થી, વનક્ષેત્ર નિવાસી, દ્વીપ/નદીના રહેવાસીઓ, ચાના બગીચામાં કાન કરતા અથવા પહેલાં કામ કરી ચૂકેલા લોકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવે છે.