કોરોના લક્ષણોવાળા દરેકની તપાસ કરવામાં આવશે. આઇસીએમઆર દ્વારા જારી કરવામાં આવેલી સુધારેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, "ચેપ અટકાવવા અને બચાવવાનો એકમાત્ર રસ્તો તપાસ છે. ચેપનું કારણ શોધો અને તેની સારવાર કરો." તેથી દેશના દરેક ભાગમાં લક્ષણોની વ્યાપક તપાસ કરવી જોઈએ. ઉપરાંત ચેપનું કારણ શોધી કાઢવું જોઈએ અને તેને રોકવાની પ્રક્રિયાને મજબૂત બનાવવી જોઈએ.
વિદેશથી પરત ફરનાર અથવા પરપ્રાંતિઓને સાત દિવસમાં તપાસ કરાવવી
દેશના દરેક ભાગમાં લક્ષણોની વ્યાપક તપાસ કરવી જોઈએ
આ તમામ લોકોની તપાસ કરાશે
આઈસીએમઆરએ તે બધા લોકો જે વિદેશથી પરત ફર્યા હોય અથવા પરપ્રાંતિ હોય તે તમામને સાત દિવસની અંદર તપાસ કરાવવાની સલાહ આપી છે. આ સિવાય ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણોવાળા લોકો, હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોને તપાસ માટે સલાહ આપી છે. આ સિવાય હેલ્થકેર અને અન્ય સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓને પણ તપાસ કરવા જણાવ્યું છે.
આઇસીએમઆરએ અધિકારીઓ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો, કચેરીઓ અને જાહેર ક્ષેત્રના એકમોને એન્ટીબોડી આધારિત સ્ક્રિનિંગ ક્ષમતાથી સજ્જ કરવા જણાવ્યું છે. અગાઉ આઇસીએમઆરની એડવાઈઝરીમાં કન્ટેનમેન્ટ ઝોન, ગીચ વિસ્તારો સિવાય ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણોવાળા લોકોની તપાસ કરવાની વાત કરવામાં આવી છે.