ટુંક સમયમાં મેડિકલ સ્ટોર પર વેચાનારી દરેક દવાની કિંમતને કંપનિઓ નહીં પણ સરકાર નક્કી કરશે. અત્યારે કેન્દ્ર સરકારે ફક્ત જીવનરક્ષક દવાઓની કિંમતોને નક્કી કરી રાખી છે પણ હવે ડોક્ટરની પ્રિસ્ક્રીપ્સન વગર કાઉન્ટર પર વેચાનારી દવાઓની કિંમતો પર પણ લગામ લાગશે.
નીતિ આયોગે બનાવ્યો પ્રસ્તાવ
કેન્દ્ર સરકારના થિંક ટેન્ક નીતિ આયોગે આ વિશે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવને ટુંક સમયમાં સરકાર પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. જો કેબિનેટ આને મંજુરી આપે છે તો સમગ્ર દેશમાં તેને લાગુ કરી દેવામાં આવશે. આ ફોર્મુલા અનુસાર ટ્રેડ માર્જિનના આધારે દવાઓના ભાવ કંટ્રોલ કરી શકાશે.
હજુ થાય છે નફાખોરી
હજુ પણ માર્કેટમાં ઘણી એવી દવાઓ છે જેને વેચવા પર કંપનિઓ ખુબ વધારે નફાખોરી કરી રહી છે. તેને રોકવા માટે નીતિ આયોગના નેતૃત્વમાં સ્વાસ્થ્ય મંત્રાલય અને ફાર્મા મંત્રાલયના અધિકારી ફોર્મલા તૈયાર કરવામાં જોડાયેલા છે.