કોરોના મહામારીએ મહિલાઓની માનસિક સ્થિતિ પર પણ અસર કરી છે. એક સર્વે મુજબ દેશમાં દરેક ચોથી મહિલા નોકરી છોડવાનું વિચારી રહી છે.
મહિલાઓ પર મહત્વનો સર્વે
દેશમાં દર ચોથી મહિલા છોડવા માગે છે કામ
કોરોના મહામારી સમયે વધ્યો માનસિક તણાવ
ઉલ્લેખનીય છે કે, ઘરની જવાબદારીઓની સાથે ઓફિસના કામનો વધતો બોજ મહિલાઓનું માનસિક તણાવ વધારી રહી છે. જોબ સેટિસ્ફેક્શનને પણ નુકસાન થઈ રહ્યું છે. ભારતમાં 26 ટકા નોકરિયાત મહિલાઓ કામ છોડવાનું વિચારી રહી છે.
રિપોર્ટમાં થયો ખુલાસો
આંતરરાષ્ટ્રીય ફર્મ ડેલોયટ દ્વારા 10 દેશની 5 હજાર મહિલાઓ પર આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં ભારતની પણ 500 મહિલાઓ સામેલ હતી. રિપોર્ટ મુજબ 51 ટકા મહિલાઓ પોતાના કરિયર મામલે ઓછી આશાવાદી છે. ડેલાઈટ ઈન્ડિયાના જણાવ્યા મુજબ સંસ્થાઓએ કામની રીત બદલવી પડશે. જેથી ભારતીય મહિલાઓ વિકટ સ્થિતિમાંથી બહાર નિકળી શકે.
કામકાજના ઢંગમાં કરવો પડશો ફેરફાર
ડેલાઈટ ઇન્ડિયાના સહયોગી મોહનીશ સિન્હાએ જણાવ્યું હતું કે, સંસ્થાનોએ કામનો ઢંગ બદલવો પડશે જેથી ભારતીય વર્કિગ વૂમન વિકટ મનોસ્થિતિથી બહાર નીકળી શકશે. ઉચ્ચ અધિકારીઓ પર તેની સંપૂર્ણ જવાબદારી છે.