કોરોનાના વધતા જતાં કેસો વચ્ચે ICMRએ ટાઈપ 1 ડાયાબિટીસના દર્દીઓની સારવાર માટે નવી ગાઈડ લાઈન જાહેર કરી છે. ડાયાબિટીસના દર્દીઓને કોરોનાનો સૌથી વધુ ખતરો રહે છે. ટાઈપ 1 ડાયાબિટીસ બાળકો અને યુવાનોને તેનો શિકાર બનાવે છે. શું તમે જાણો છો કે, આ રોગ કેટલો ખતરનાક છે ?
ટાઈપ-1 ડાયાબિટીસથી પીડાતા વિશ્વના દરેક 5મો બાળક કે કિશોર ભારતીય
વિશ્વમાં ટાઈપ 1ડાયાબિટીસથી પીડિત બાળકો અને કિશોરીની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે. ટાઈપ-1 ડાયાબિટીસથી પીડાતા વિશ્વના દરેક પાંચમો બાળક કે કિશોર ભારતીય છે. ભારતમાં દરરોજ 65 બાળકો અથવા કિશોરો ટાઈપ 1 ડાયાબિટીસના સંપર્કમાં આવે છે. આ અંગે કેટલાક આંકડા એવા છે, જે દર્શાવે છે કે ટાઇપ 1 ડાયાબિટીસની સમસ્યા ભારતમાં કેટલી મોટી બની રહી છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (આઇડીએફ) અનુસાર, ડાયાબિટીસને કારણે ગયા વર્ષે વિશ્વભરમાં ડાયાબિટીસથી 6.7 મિલિયનથી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃત્યુ 20 થી 79 વર્ષની વયના લોકોના હતા.
ICMR issues guidelines for the management of Type 1 Diabetes. The guidelines come at a time when the #COVID19 pandemic has disproportionately affected people with diabetes population, exposing them to a high risk for severe illness and mortality. pic.twitter.com/5Kqm0PIk7G
ભારતમાં 2.29 લાખથી વધુ બાળકો અને કિશોરોને ટાઇપ 1 ડાયાબિટીસ
આઈડીએફનો તાજેતરનો અહેવાલ દર્શાવે છે કે, ટાઇપ ડાયાબિટીઝથી પીડિત બાળકો અને કિશોરોની સંખ્યા વિશ્વભરમાં ઝડપથી વધી રહી છે. 2021 સુધીમાં, વિશ્વભરમાં 12.11 મિલિયનથી વધુ બાળકો અને કિશોરો ટાઇપ 1 ડાયાબિટીસથી પીડિત હતા. તેમાંથી અડધાથી વધુ લોકો 15 વર્ષથી ઓછી વયના છે. તેમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીયો છે. ભારતમાં 2.29 લાખથી વધુ બાળકો અને કિશોરોને ટાઇપ 1 ડાયાબિટીસ છે.
Earlier ICMR had released guidelines for type 2 diabetes but this is the first when ICMR has released guidelines for type 1 diabetes
ટાઇપ 1 અને ટાઇપ 2. ટાઇપ 1 ડાયાબિટીસ નાની ઉંમરે થાય છે. આનાથી પીડિત વ્યક્તિને જીવવા માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શનની જરૂર પડે છે. તેના માટે કોઈ નક્કર ઇલાજ પણ નથી. સાથે જ ટાઇપ 2 સાથે સંઘર્ષ કરી રહેલા લોકોની દવાઓ અને થેરાપીથી સારવાર કરી શકાય છે, પરંતુ તેમને ઇન્સ્યુલિનના ઇન્જેક્શનની પણ જરૂર પડે છે. આંકડા દર્શાવે છે કે ટાઇપ 1 ડાયાબિટીસથી પીડિત બાળકો અને કિશોરોની સંખ્યા વિશ્વભરમાં ઝડપથી વધી રહી છે. ગયા વર્ષે ભારતમાં ટાઇપ 1 ડાયાબિટીસના 24 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા હતા. એટલે કે દરરોજ 65થી વધુ બાળકો અને કિશોરો ટાઇપ 1 ડાયાબિટીસનો શિકાર બને છે.
ટાઇપ 1 ડાયાબિટીસ શું છે અને તેના લક્ષણો શું છે?
ટાઇપ-2 ડાયાબિટીસની સરખામણીએ ટાઇપ-1ના લક્ષણો અચાનક દેખાવા લાગે છે, જેને ગંભીરતાથી લેવાની જરૂર છે
(1) વધુ ભૂખ અને તરસ લાગવી
(2) વારંવાર પેશાબની ઈચ્છા થવી
(3) વજનમાં અચાનક ઘટાડો
(4) ચીડિયાપણું અને મિજાજમાં ફેરફારો
(5) થાક અને નબળાઈ
(6) અસ્પષ્ટ દેખાવા માટે
ટાઈપ-1 માટે પહેલી વાર બહાર પડી ગાઈડલાઈન્સ
આ અગાઉ ઈન્ડીયન મેડિકલ કાઉન્સિલે ટાઈપ-2 ડાયાબિટીસ માટે ગાઈડલાઈન્સ બહાર પાડી હતી પરંતુ પહેલી વાર સંસ્થાએ ટાઈપ-1 ડાયાબિટીસ માટે ગાઈડલાઈન્સ બહાર પાડી છે.
ડાયાબિટીસના દર્દીઓને કોરોનાનો ખતરો
હાલમાં ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે અને ચોથી લહેરનો ખતરો ઊભો થયો છે અને ડાયાબિટીસનો દર્દીઓને કોરોના થવાનો મોટો ખતરો રહેલો હોવાથી સરકારે અગમચેતી વાપરીને ગંભીર ગણાતા ટાઈપ-1 ડાયાબિટીસથી બચવાની દર્દીઓને સલાહ આપી છે.