દેશભરમાં 1 ઓગસ્ટથી જ્યાં ગૃહ મંત્રાલયની ગાઈડ લાઈન પ્રમાણે અનલોક 3 લાગુ કરી દેવામાં આવ્યું છે, તેવામાં આ ગાઈડલાઈનના લીધે પ્રોફેસરોને પડી રહેલી મુશ્કેલીનો સરકારે અંત આણ્યો છે. રાજ્ય સરકારે પ્રોફેસરોની પેન્ડિંગ વર્ક ફ્રોમ હોમની માંગણી સ્વીકારી લીધી છે. આમ પ્રોફેસરો હવેથી ઘરે રહીને પણ ઓનલાઈન શિક્ષણ આપી શકશે. લગભગ 5000 પ્રોફેસરોએ આખરે રાહતના શ્વાસ લીધા છે.
ગુજરાતના 5000 પ્રોફેસરો માટે સરકારે કર્યો નિર્ણય
મહામારીમાં પ્રોફેસરોએ કોલેજ આવવું ફરજિયાત નહીં
અનલોક-3ની ગાઈડલાઈનની અવઢવ સરકારે દૂર કરી
ગુજરાત સરકારે રાજ્યના પ્રોફેસરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં તેમની એક પેન્ડિંગ માંગણીનો આખરે સરકારે સ્વીકાર કરી લીધો છે. હવેથી સરકારી કોલેજોના લગભગ 5000 જેટલા પ્રોફેસરોને કોલેજો પર આવવું ફરજીયાત નહી હોય. આ પ્રોફેસરો તેમના ઘરેથી રહીને પણ ઓનલાઈન શિક્ષણ આપી શકશે.
અનલોક 3 ગાઈડલાઈનની અવઢવ
ઉલ્લેખનીય છે કે દેશમાં 1 ઓગસ્ટથી ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે અનલોક 3 લાગુ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત સરકારે પણ આ ગાઈડલાઈનએ અનુસંધાને તેની માર્ગદર્શિકા જાહેર કરી હતી, જેમાં કેન્દ્રીય માર્ગદર્શિકાને જ મુખ્ય આધાર માનવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગાઈડલાઈન પ્રમાણે સરકારી કોલેજોના પ્રોફેસરોને અનલોક 3માં કોલેજો પર પરત ફરવાનું હતું અને ત્યાંથી જ શિક્ષણ આપવાનું હતું. જયારે કે અનલોક 3માં પણ સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સંસ્થાનો ખોલવામાં આવ્યા નથી. જેને લઈને ઓનલાઈન શિક્ષણની વાતો સામે આવી રહી છે, ત્યારે વધતા જતાં કોરોના કેસોના પગલે ભય વધી રહ્યો છે ત્યારે પ્રોફેસરોએ તેમના માટે ઘરે રહીને શિક્ષણ કાર્ય કરવાની માંગણી કરી હતી.
વર્ક ફ્રોમ હોમની માંગણી
વધતા જતાં કોરોના કેસોના લીધે જયારે આજકાલ વર્ક ફ્રોમ હોમનું ચલન દેશના પ્રાઈવેટ સેક્ટરમાં જરૂર પકડી રહ્યું છે. વિશ્વભરમાં જયારે આજકાલ આ નવા ટ્રેન્ડનું ચલન વધી રહ્યું છે, ત્યારે ભારતના સરકારી સંસ્થાનોમાં પણ વર્ક કલ્ચરના આ મોડેલને લાગુ કરવાની માંગણીઓ ઉઠવા પામી રહી છે. આજ શ્રેણીમાં ગુજરાતની સરકારી કોલેજીના પ્રાધ્યાપકોએ ઓનલાઈન શિક્ષણ માટે તેમના આવસેથી જ રહીને ટીચિંગ કરાવાની સરકાર પાસે પરવાનગી માંગી હતી. જેને સરકારે હવે સ્વીકારી લીધી છે અને આખરે 5000 પ્રોફેસરોએ આખરે રાહતનો દમ લીધો છે.