પાકિસ્તાનના ઇમરાન ખાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ સ્વીકાર્યું છે કે પુલવામા માં CRPF ના કાફલા પર થયેલા હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. તેમણે કહ્યું કે પુલવામા હુમલો પાકિસ્તાનની સફળતા છે. ફવાદ ચૌધરીએ પુલવામા હુમલાનું શ્રેય ઇમરાન ખાન અને તેમની પાર્ટી PTI પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ ને આપ્યું હતું.
પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીનું કબૂલનામું
પુલવામા હુમલો એ પાકિસ્તાનની સફળતા : પાક. મંત્રી
ભારતના 40 બહાદુર જવાનો શહીદ થઈ ગયા હતા
પાકિસ્તાન ની ઇમરાન ખાન સરકાર ના પ્રધાન ફવાદ ચૌધરીએ સ્વીકાર્યું છે કે પુલવામા માં CRPF ના કાફલા પર થયેલા હુમલામાં પાકિસ્તાન નો હાથ હતો. તેમણે કહ્યું કે પુલવામા હુમલો એ પાકિસ્તાન ની સફળતા છે. ફવાદ ચૌધરીએ પુલવામા હુમલાનું શ્રેય ઇમરાન ખાન અને તેમની પાર્ટી PTI તેમણે કહ્યું કે પુલવામા હુમલો ઇમરાન ખાન માટે એક સિદ્ધિ છે.
#WATCH: Pakistan's Federal Minister Fawad Choudhry, in the National Assembly, says Pulwama was a great achievement under Imran Khan's leadership. pic.twitter.com/qnJNnWvmqP
મહત્વનું છે કે 14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ-કાશ્મીર ના પુલવામામાં CRPF ના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. એક આત્મઘાતી બોમ્બરએ વિસ્ફોટકોથી ભરેલી કારને CRPF ના કાફલામાં ધકેલી દીધી હતી. આ બ્લાસ્ટમાં 40 સૈનિકો શહીદ થઈ ગઈ હતી.
ફવાદ ચૌધરી પાકિસ્તાનના એ નેતા છે જે તેમના નિવેદનો માટે હાલ ચર્ચામાં છે. તેઓ ડર વખતે ભારત ને ધમકીઓ આપતા રહે છે અને છે મજાક ઉડાવે છે પરંતુ ઘણી વાર આજ ચક્કરમા તેમની જ બેઈજ્જતી થઈ જાય છે.
કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા આપી હતી ધમકી
જમ્મુ-કાશ્મીર માંથી કલમ 370 હટાવ્યા બાદ તેણે ભારતને અનેક વખત ધમકી આપી છે. ફવાદે પણ ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી. તેમણે ચંદ્રયાન -2 ના ઉડ્ડયન પછી પણ વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. જો કે, તેમને પોતાના દેશમાં જ પોતાના દેશવાસીઓની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
બે દિવસમાં બે કબૂલાત
ફવાદ ચૌધરી પહેલાં, પાકિસ્તાનની રાજકીય પાર્ટી PML - N ના સાંસદે ખુલાસો કર્યો હતો કે ભારતીય વાયુસેના ના પાઇલટ અભિનંદન વર્ધમાન ને પકડ્યા બાદ ભારત પાકિસ્તાન પર હુમલો કરવા તૈયાર છે. એવી માહિતી શાસકોને હતી, અને તેમણે કબૂલાત કરી હતી કે તે સમયે પાકિસ્તાની સૈન્યના વડા જનરલ કમર જાવેદ બાજવા ની હાલત ખરાબ હતી અને તેમના પગ ધ્રૂજતા હતા. તેમણે ડર હતો કે જો પાકિસ્તાન અભિનંદન વર્ધમાન ને ન છોડત તો તેમના પર હુમલો થવાની સંભાવના હતી.
પાકિસ્તાનને કર્યો હતો વળતો હુમલો
નોંધનિય છે કે ફેબ્રુઆરી 2019 માં પુલવામા આતંકી હુમલા બાદ ભારતે બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો. બીજે દિવસે પાકિસ્તાને તેના એરક્રાફ્ટને ભારત પર હુમલો કરવા મોકલ્યા હતા, જો કે ભારત ના વિમાનોએ તેમને હાંકી કાઢ્યા હતા. આ જ ક્રિયા દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન નું વિમાન પાકિસ્તાની વિસ્તારમાં પહોંચી ગયું હતું અને ક્રેશ થઈ ગયું હતું. અને તેઓ પકડાઈ ગયા હતા જો કે પાકિસ્તાને તેમને 48 કલાકની અંદર જ છોડી દીધા હતા.
જો કે આ ઘટનાને લઈને રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલે મોદી સરકાર પર પ્રહાર કરવા માટે જે ટ્વિટ કર્યા હતા તે જૂના ટ્વીટ્સ ફરી વાયરલ થયા હતા.