અમદાવાદના સાણંદ નજીક આવેલા શાંતિપુરા સર્કલ પાસે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. તો અન્ય છ જેટલા વાહનોને કારચાલકે ટક્કર મારતા 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદના સાણંદ નજીક આવેલા શાંતિપુરા સર્કલ પાસે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. તો અન્ય છ જેટલા વાહનોને કારચાલકે ટક્કર મારતા 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની વિગત એવી છે કે, શાંતિપુરા સર્કલ પાસે એક લક્ઝુરીયસ કારના ચાલક આરોપી રોનક પટેલ પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો ત્યારે તેણે 6 જેટલા વાહનોને અડફેટે લીધા હતા.
જેમાં કૌશિક નામના એક વ્યક્તિને ભારે ઈજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. તો ઘટનાના પગલે ઉશ્કેરાયેલા ટોળાએ આરોપી રોનક પટેલને ઝડપી પાડ્યો હતો અને મેથીપાક ચખાડ્યો અને કારમાં પણ તોડફોડ કરી. બાદમાં ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.