રાજકોટના વકીલ મહેન્દ્ર ફળદુના આપઘાત કેસમાં સાતેય આરોપી બિલ્ડર હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
મહેન્દ્ર ફળદુના આપઘાતનો મામલો
સાતેય આરોપી બિલ્ડર પોલીસ પકડથી દૂર
રાજકોટ અને અમદાવાદના બિલ્ડર ફરાર
રાજકોટના વકીલ મહેન્દ્ર ફળદુના આપઘાતનો મામલો આરોપી
રાજકોટના બહૂચર્ચીત મહેન્દ્ર ફળદુના આત્મહત્યા કેસમાં રાજકોટ પોલીસ દ્વારા SITની રચના કરાઇ છે. અને 4 ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે ઘટનાના બે દિવસ બાદ પણ સાતેય આરોપી બિલ્ડર હજુ પણ પોલીસ પકડથી દૂર છે. મહત્વનું છે કે પોલીસની ટીમ રાજકોટ અને અમદાવાદના બિલ્ડર ત્યાંપહોંચે તે પહેલા બિલ્ડર ફરાર થઇ ગયા છે. હાલ પોલીસની ચાર ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ દિપક પટેલ સહિત 7 આરોપી છે.ઓઝોન ગ્રુપના બિલ્ડરોના ત્રાસથી મહેન્દ્ર ફળદુએ આપઘાત કર્યો હતો.
મહેન્દ્ર ફળદુ અમદાવાદના બાવળામાં 'ધ તસ્કની બીચ સિટી' નામના પ્રોજેક્ટમાં 1 લાખ વાર જગ્યા ખરીદી મહેન્દ્ર ફળદુ અને પરિવારે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ સાથે મહેન્દ્ર ફળદુના 2007માં 3 કરોડથી વધુનું ઓઝોન ગ્રુપમાં રોકાણ કર્યું હતું. જો કે, ઓઝોન ગ્રુપના બિલ્ડરો જમીનના દસ્તાવેજ કરી આપતા ન હતાં. જેને લઈને મહેન્દ્ર ફળદુએ એમ.એમ.પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેતા, જયેશ પટેલ, દીપક પટેલ, પ્રણય પટેલ અને પ્રકાશ પટેલ સામે ખોટી ફરિયાદો કરી હેરાન પરેશાન કરતા હોવાનો આક્ષેપ કરાયો.તેમજ સ્યુસાઈડ નોટમાં આશરે 35 કરોડની જમીનના દસ્તાવેજ ન કરી આપતા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તેમજ મહેન્દ્ર ફળદુ અને તેમના પરિવારના રોકાણકારોને રૂપિયા માટે દબાણ કરાતું હતું. જેને લઈને મહેન્દ્ર ફળદુ આર્થિક સંકડામણમાં આવી ગયા હોવાથી આ પગલું ભર્યું છે. ઓઝોન ગ્રુપ દ્વારા મહેન્દ્ર ફળદુને રાજ્યના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો IAS અને IPS અધિકારીઓ સાથે ઘરોબો હોવાનું કહીને ધમકી આપતા
Vtv ના સળગતા સવાલો
- વકીલ મહેન્દ્ર ફળદુના ગુનેગારોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે?
- શું રાજકોટ પોલીસ અમદાવાદ પહોંચે ત્યાં સુધી આરોપીઓ બેસી રહે ખરા?
- આપઘાતના ત્રણ દિવસ બાદ પણ પોલીસ આરોપી બિલ્ડરોને કેમ નથી પકડી શકી?
- સ્યૂસાઈડ નોટમાં આરોપી બિલ્ડરના કારણે આપઘાત કર્યો છતાં તપાસ ધીમી ગતિએ કેમ?
- શું પોલીસ આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરી રહી છે?