છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક અણધારી ઘટના સામે આવી છે. રાયગઢમાં તહસીલ કોર્ટમાંથી અનોખો મામલો સામે આવ્યો છે. જ્યાં ભગવાન ભોલેનાથને થોડા દિવસ પહેલા નજૂલ ભૂમિ પર મંદિર નિર્માણને લઇને નોટીસ આપવામાં આવી હતી.
રાયગઢમાં તહસીલ કોર્ટમાંથી અનોખો મામલો સામે આવ્યો
ભગવાન શિવને આપવામાં આવી નોટીસ
તહસીલ કોર્ટે સંબંધિત લોકોને કારણ બતાવો નોટીસ જાહેર કરી
છત્તીસગઢ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી અરજી
જેના જવાબમાં ભગવાન શુક્રવારે તહસીલ કોર્ટમાં સુનાવણી માટે પહોંચ્યા. ભગવાન નક્કી કરેલા સમય પ્રમાણે પહોંચી ગયા. પરંતુ નોટીસ આપનારા અધિકારી તહસીલ કાર્યાલયમાંથી નિકળી ગયા હતા. હવે ભગવાને નવી તારીખે કોર્ટમાં સુનાવણી માટે હાજર થવુ પડશે. રાયગઢ નગર નિગમ ક્ષેત્રના વોર્ડ નંબર 25 કૌહાકુંડામાં એક મહિલા દ્વારા નજૂલ ભૂમિ પર ગેરકાયદેસર કબજાને હટાવવા માટે છત્તીસગઢ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
શિવ મંદિરને મળી નોટીસ
અરજીની સુનાવણી કરતા હાઈકોર્ટે રાયગઢ તહસીલ કોર્ટને સંબંધિત લોકોની સામે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યાં છે. તહસીલ કોર્ટે સંબંધિત લોકોને કારણ બતાવો નોટીસ જાહેર કરી. જેમાં શિવ મંદિર, કૌહાકુંડાને નોટીસ આપી દીધી. એવામાં શુક્રવારે કૌહાકુંડા વોર્ડના સ્થાનિકો શિવલિંગને રીક્ષામાં લઇને નોટીસની કોપીની સાથે તહસીલ કોર્ટમાં સુનાવણી પર પહોંચ્યાં. કોર્ટના જજ જ્યારે સુનાવણીમાં વ્યસ્ત હોવાના કારણે મામલાની સુનાવણી ના કરી શક્યા.
નોટીસની સુનાવણી માટે મળી આગામી તારીખ
આ મામલે કોર્ટના જજનુ કહેવુ છે કે મંદિરને નોટીસ, કારકુનની ભૂલના કારણે જાહેર કરવામાં આવી હતી. આ મામલે અન્ય લોકોને નોટીસ આપવામાં આવી છે. એપ્રિલ મહિનાની 13 તારીખે નોટીસની સુનાવણી થશે.