ભગવાન શ્રીકૃષ્ણનો ગઈકાલે 5244મોં જન્મદિવસ ભારત સહીત અન્ય રાષ્ટ્રોમાં પણ ખાસ રીતે ઉજવવામાં આવ્યોગુજરાતના જગત મંદિર તરીકે ખ્યાતિ પામેલ દ્વારકા અને ડાકોર અને શામળાજી ખાતે નંદનંદનના જન્મદિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જયારે જન્મ્યા ત્યારે રોહિણી નક્ષત્ર હતું. કૃષ્ણને 8 આંક સાથે પણ ખાસ સબંધ રહેલો છે. કૃષ્ણનો જન્મ થયો અને નંદબાવા તેમને યમુના નદીમાં આવેલ પૂર વચ્ચે થી લઇ પસાર થયા આ સમયે ગાંડીતુર બનેલ યમુનાના નીર જ્યારે કૃષ્ણના અંગુઠાના સ્પર્શથી પવિત્ર થયા તે ઘટના અને નટખટના શૈશવ અને મોટા થયા ત્યા સુધીના બધા જ તોફાનોની વાત આજે પણ લોક મુખે ચર્ચાય છે પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે આજે 5000 વર્ષ પછી પણ ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય એક મૂર્તિ માં સચવાયેલું છે.
ચાર ધામની યાત્રામા સ્થાન પામેલ જગન્નાથ પુરીને ભગવાન શ્રીવિષ્ણુનું પાવન સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. આ પાવનભૂમિ સાથે શ્રીકૃષ્ણનો પણ વિશેષ સંબંધ છે.જગન્નાથપુરીની મૂર્તિમાં શ્રીકૃષ્ણના હૃદયનું પીંડ રાખવામાં આવ્યું છે.
જનશ્રુતિમા કહેવામા આવ્યુ છે તે અનુસાર જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનું મૃત્યુ થયું ત્યારે પાંડવોએ તેમના દેહના અગ્નિસંસ્કાર કર્યો ત્યારે તેમનું હૃદય બળતું જ રહ્યું. આ ઘટના સમયે થયેલ ઈશ્વરના આદેશ મુજબ પાંડવોએ શ્રીકૃષ્ણના હૃદયને પાણીમાં વહાવી દીધું હતુ. કૃષ્ણના હૃદયને પાણીનો સ્પર્શ થતાની સાથે જ હૃદયનું ધન સ્વરૂપમાં રૂપાંતરણ થઈ ગયું. આ ઘટના બાજ જ્યારે ભગવાન જગન્નાથજીના પરમ ભક્ત ગણાતા રાજા ઈન્દ્રદ્યુમ્નને મળ્યું. ઈન્દ્રદ્યુમ્ન એક બાહુબલી રાજા હતો પ્રજાલક્ષી તેની કામ કરવાની નીતીને કારણે તેની ખુબ નામના હતી. ઈન્દ્રદ્યુમ્નના સમયમા બનેલ ઘટનાઓ અને તેના કામોને લીધે તેની ગૌરવગાથા આજે પણ જાણીતી છે.
પ્રજાવત્સલ રાજવી ઈન્દ્રદ્યુમ્ને ધન સ્વરૂપે મળી આવેલ હૃદયને ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવતી વખતે તેમાં સ્થાપિત કરી દીધું. જે આજે પણ પુરીમા રહેલ ભગવાન જગન્નાથની મુર્તીમા અકબંધ રીતે સચવાયુ છે. ઉલ્લેખનીય છે કે જગન્નાથજીની મૂર્તિ દર બાર વર્ષે બદલાવવામાં આવે છે જેમા જુની મુર્તીમાંથી હૃદયને કાઢીને નવી મુર્તીમા ચડાવવામા આવે છે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે જગન્નાથ પુરીમાં ખાસ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અને નગર યાત્રાએ નીકળેલા ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે પરંતુ બહુ ઓછા લોકો આ વાત થી જાણીતા હશે કે આજે 5000 વર્ષ પછી પણ ભગવાન શ્રી કૃષ્ણનું કોમળ હૃદય આજેપણ પુરીમાં બિરાજમાન જગતના નાથની મૂર્તિમાં અકબંધ રીતે સચવાયું છે