મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા ચેતનને રાજસ્થાન રૉયલે 1.2 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદી લીધો છે. તેણે આ સ્તર સુધી પહોંચવામાં ખુબ સંઘર્ષ કર્યા છે. વર્ષો સુધી મહેનત કરી અને સંઘર્ષ કર્યા બાદ તેને આ મીઠુ ફળ મળ્યુ છે. તે પોતાને અને પોતાના પરિવારને ગર્વ અપાવી શકે. તેમ છતાં તે ખુશ નથી અને શોકમાં છે.
ચેતન કેમ શોકમાં છે
ચેતનનું શોકમાં હોવાનું કારણ તેનો ભાઇ છે. તેના નાના ભાઇએક ગત ફેબ્રુઆરી 14ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. તેના કારણે પરિવાર દુઃખી છે અને શોકમાંથી બહાર નથી આવી શકતો. ચેતનનો ભાઇ ગયો તેના બાદ તેણે આ સ્તર પર પોતાની જાતને મુકી પરંતુ તે જોવા તેનો ભાઇ જીવતો નથી.
પરિવારે કહ્યું કે, ચેતન ભણવામાં હોંશિયાર હતો પરંતુ 12 ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ તે આગળ ન જઇ શક્યો. ક્રિકેટ માટે તેણે પોતાની પરિક્ષાઓ પણ ન આપી અને ડ્રોપઆઉટ કર્યુ. તેનુ ટેલેન્ટ જોઇને ભાવસિંહજી ક્રિકેટ ક્લબે તેની ફી માફ કરી હતી. આ ઘટનાને ચેતન કાયમ યાદ રાખે છે.
રાજસ્થાન રૉયલ્સે IPL 2021ની હરાજીમાં 20 લાખના બેઝ પ્રાઇસ વાળા ચેતન સાકરિયાને 1.2 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. ચેતન સાકરિયા ભાવનગરના નિવાસી છે. તેઓ સૌરાષ્ટ્રની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. અનકેપ્ડ ફાસ્ટ બોલર ચેતન સાકરિયા બાળપણથી ક્રિકેટનો શોખિન હતો. જોકે આર્થિક સંકડામણનો સામનો કરીને ક્રિકેટમાં ઝળહળવાનું સપનું પૂર્ણ કર્યું.